ETV Bharat / bharat

કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસમાં સંજય રોય દોષિત, 20 જાન્યુઆરીએ સજા સંભળાવાશે - RG KAR RAPE CASE

આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં કોર્ટે મુખ્ય આરોપીને દોષી ઠેરવ્યો છે.

આરજી કાર રેપ-મર્ડર કેસનો મુખ્ય આરોપી સંજય રોય
આરજી કાર રેપ-મર્ડર કેસનો મુખ્ય આરોપી સંજય રોય (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 18, 2025, 10:55 AM IST

Updated : Jan 18, 2025, 5:19 PM IST

કોલકાતા : બહુચર્ચિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં સિયાલદહ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો અને મુખ્ય આરોપી સંજય રોય દોષી ઠેરવ્યો છે, આ અંગે કોર્ટ 20 જાન્યુઆરીએ સજા સંભળાવાશે.

આ મામલો 9 ઓગસ્ટના રોજ પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે હોસ્પિટલના સેમિનાર હોલમાં મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળ્યો હતો. મુખ્ય આરોપી સંજય રોયની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. ચુકાદા પહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા કુણાલ ઘોષે શનિવારે દોષીત માટે મૃત્યુદંડની માંગ કરી હતી.

ગુનેગારને ફાંસીની સજા આપવાની માંગ : સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા કુણાલ ઘોષે આ કેસમાં પોલીસની ત્વરિત કાર્યવાહી અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા આરોપીઓના અપરાધની પુષ્ટિ પર ભાર મૂક્યો અને કહ્યું કે, અમે આશા રાખીએ છીએ કે આ કેસના સંબંધમાં ધરપકડ કરાયેલ વ્યક્તિ, જેની પુષ્ટિ CBI દ્વારા પણ કરવામાં આવી છે, તેને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવશે અને મૃત્યુદંડની સજા આપવામાં આવશે.

"આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ સામાજિક મુદ્દો છે" : કુણાલ ઘોષ

મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા કુણાલ ઘોષે તેને 'સામાજિક અપરાધ' ગણાવ્યો જે રાજકીય સીમાઓથી આગળ વધે છે. કુણાલ ઘોષે કહ્યું કે આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ સામાજિક મુદ્દો છે. આ પ્રકારના ગુનાઓ માટે અમે ગુનેગારોને મૃત્યુદંડની સજાની અપેક્ષા રાખીએ છીએ. આપણા મુખ્યમંત્રીએ પહેલા દિવસથી જ આ જધન્ય અપરાધ માટે આરોપીને મૃત્યુદંડ આપવાની માંગણી કરી છે.

કુણાલ ઘોષે CPI-Mની ટીકા કરી : કુણાલ ઘોષે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ) (CPI-M)ની પણ ટીકા કરી અને તેમના પર નિર્ણાયક તબક્કે મૂંઝવણ ઊભી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. સાથે જ કુણાલ ઘોષે પૂછ્યું કે, જ્યારે ટ્રાયલ તેના અંતને આરે છે, ત્યારે CPI-M શંકા પેદા કરી રહ્યું છે. શું તેઓ ઈચ્છે છે કે આરોપીઓને ફાંસીની સજા મળે કે નહીં?

મૃતકના પિતા તટસ્થ ચુકાદાની આશા : મૃતક તબીબના પિતાએ ન્યાયી ચુકાદાની આશા વ્યક્ત કરતા કહ્યું કે, કોર્ટ કેસની તપાસ કરશે અને વિચારણા કરશે પછી અમને ન્યાય મળશે. DNA રિપોર્ટમાં અન્ય વ્યક્તિઓ (આરોપીઓ)ની હાજરી પણ પ્રસ્થાપિત થઈ છે. અમે કોર્ટમાં જઈ રહ્યા છીએ. એક કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને બીજો સુપ્રીમ કોર્ટમાં આવ્યો છે અને તેની યાદી થઈ ગઈ છે. અમને અમારી દીકરી માટે ન્યાય જોઈએ છે.

  1. આરજી કર રેપ-મર્ડર કેસના આરોપી સંજય રોયે ભૂતપૂર્વ CP પર લગાવ્યા આરોપ
  2. SCએ આરજી કર કેસને પશ્ચિમ બંગાળની બહાર ટ્રાન્સફર કરવાનો ઇનકાર કર્યો

કોલકાતા : બહુચર્ચિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં સિયાલદહ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો અને મુખ્ય આરોપી સંજય રોય દોષી ઠેરવ્યો છે, આ અંગે કોર્ટ 20 જાન્યુઆરીએ સજા સંભળાવાશે.

આ મામલો 9 ઓગસ્ટના રોજ પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે હોસ્પિટલના સેમિનાર હોલમાં મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળ્યો હતો. મુખ્ય આરોપી સંજય રોયની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. ચુકાદા પહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા કુણાલ ઘોષે શનિવારે દોષીત માટે મૃત્યુદંડની માંગ કરી હતી.

ગુનેગારને ફાંસીની સજા આપવાની માંગ : સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા કુણાલ ઘોષે આ કેસમાં પોલીસની ત્વરિત કાર્યવાહી અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા આરોપીઓના અપરાધની પુષ્ટિ પર ભાર મૂક્યો અને કહ્યું કે, અમે આશા રાખીએ છીએ કે આ કેસના સંબંધમાં ધરપકડ કરાયેલ વ્યક્તિ, જેની પુષ્ટિ CBI દ્વારા પણ કરવામાં આવી છે, તેને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવશે અને મૃત્યુદંડની સજા આપવામાં આવશે.

"આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ સામાજિક મુદ્દો છે" : કુણાલ ઘોષ

મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા કુણાલ ઘોષે તેને 'સામાજિક અપરાધ' ગણાવ્યો જે રાજકીય સીમાઓથી આગળ વધે છે. કુણાલ ઘોષે કહ્યું કે આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ સામાજિક મુદ્દો છે. આ પ્રકારના ગુનાઓ માટે અમે ગુનેગારોને મૃત્યુદંડની સજાની અપેક્ષા રાખીએ છીએ. આપણા મુખ્યમંત્રીએ પહેલા દિવસથી જ આ જધન્ય અપરાધ માટે આરોપીને મૃત્યુદંડ આપવાની માંગણી કરી છે.

કુણાલ ઘોષે CPI-Mની ટીકા કરી : કુણાલ ઘોષે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ) (CPI-M)ની પણ ટીકા કરી અને તેમના પર નિર્ણાયક તબક્કે મૂંઝવણ ઊભી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. સાથે જ કુણાલ ઘોષે પૂછ્યું કે, જ્યારે ટ્રાયલ તેના અંતને આરે છે, ત્યારે CPI-M શંકા પેદા કરી રહ્યું છે. શું તેઓ ઈચ્છે છે કે આરોપીઓને ફાંસીની સજા મળે કે નહીં?

મૃતકના પિતા તટસ્થ ચુકાદાની આશા : મૃતક તબીબના પિતાએ ન્યાયી ચુકાદાની આશા વ્યક્ત કરતા કહ્યું કે, કોર્ટ કેસની તપાસ કરશે અને વિચારણા કરશે પછી અમને ન્યાય મળશે. DNA રિપોર્ટમાં અન્ય વ્યક્તિઓ (આરોપીઓ)ની હાજરી પણ પ્રસ્થાપિત થઈ છે. અમે કોર્ટમાં જઈ રહ્યા છીએ. એક કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને બીજો સુપ્રીમ કોર્ટમાં આવ્યો છે અને તેની યાદી થઈ ગઈ છે. અમને અમારી દીકરી માટે ન્યાય જોઈએ છે.

  1. આરજી કર રેપ-મર્ડર કેસના આરોપી સંજય રોયે ભૂતપૂર્વ CP પર લગાવ્યા આરોપ
  2. SCએ આરજી કર કેસને પશ્ચિમ બંગાળની બહાર ટ્રાન્સફર કરવાનો ઇનકાર કર્યો
Last Updated : Jan 18, 2025, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.