ETV Bharat / bharat

દિલ્હીમાં પોલીસ સ્મૃતિ દિવસ સમારોહ યોજાયો, અમિત શાહે શહીદ પોલીસકર્મીઓને યાદ કર્યા

આજે દિલ્હી ખાતે આયોજિત પોલીસ સ્મૃતિ દિવસ સમારોહમાં ગૃહપ્રધાન અમિત શાહે દેશના શહીદ પોલીસકર્મીઓને યાદ કર્યા હતા. જાણો પોલીસ સ્મૃતિ દિવસ શું છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (ANI)

નવી દિલ્હી : દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ પોલીસ સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. પરંપરાગત રીતે તેનું નેતૃત્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન કરે છે. શહીદોના સન્માનમાં દિલ્હી પોલીસ સાથે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની સંયુક્ત પરેડનું પણ આયોજન કરવામાં આવે છે.

પોલીસ સ્મૃતિ દિવસ : 21 ઓક્ટોબર, 1959ના રોજ ચીની સૈનિકોએ લદ્દાખમાં ઓચિંતો હુમલો કર્યો હતો, જેમાં 10 બહાદુર સૈનિકો શહીદ થયા હતા. આ બનાવ તમામ શહીદો દ્વારા બતાવવામાં આવેલી હિંમતની યાદ અપાવે છે, જેમણે ફરજ નિભાવતા સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.

પોલીસ સ્મૃતિ દિવસ સમારોહ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારના રોજ પોલીસ સ્મૃતિ દિવસ સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા ખાતરી આપી હતી કે, ફરજ નિભાવતા જીવ ગુમાવનારા પોલીસ કર્મચારીઓના બલિદાનને ભૂલવામાં આવશે નહીં. સાથે જ દેશમાંથી આતંકવાદ અને માદક દ્રવ્યોની દાણચોરીને ખતમ કરવા માટે દરેક સંભવિત પગલાં લેવામાં આવશે.

બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ : અમિત શાહે કહ્યું કે, આપણા સુરક્ષા દળો છેલ્લા એક દાયકામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને કાબૂમાં રાખવામાં સફળ રહ્યા છે, પરંતુ લડાઈ હજી પૂરી થઈ નથી. આજે આપણે સૌ દેશની આંતરિક રક્ષામાં શહીદ થયેલા બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છીએ. આ જવાનો કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કિબિથુ સુધી દેશની સરહદોનું રક્ષણ કરી રહ્યા છે.

પોલીસ બલિદાનની આશ્ચર્યજનક સંખ્યા : ગૃહમંત્રી અમિત શાહે પોલીસ બલિદાનની આશ્ચર્યજનક સંખ્યાને પ્રકાશિત કરતા કહ્યું કે, દેશની સુરક્ષા માટે વિવિધ દળોના 36,468 પોલીસ કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ જ કારણ છે કે આપણો દેશ વિકાસમાં આગળ વધી શક્યો છે. વર્ષ 2023માં 216 થી વધુ પોલીસકર્મીઓએ ફરજ દરમિયાન જીવ ગુમાવ્યો હતો.

21 ઓક્ટોબર, 1959 ની ઘટના : અમિત શાહે કહ્યું કે, 21 ઓક્ટોબર 1959ના રોજ 10 બહાદુર CRPF જવાનોએ દેશ માટે બલિદાન આપ્યું હતું. તે દિવસથી અમે દર વર્ષે 21 ઓક્ટોબરને પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઉજવીએ છીએ. પીએમ મોદીના વિચારોને પગલે દિલ્હીમાં બહાદુર જવાનોના સન્માનમાં પોલીસ સ્મારક બનાવવામાં આવ્યું હતું. આ દેશવાસીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે.

  1. કેન્દ્રીય ગૃહપ્રધાન પર નવો આરોપ, મીડિયા રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
  2. જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલો, ફાયરિંગમાં 7 મજૂરોના મોત

નવી દિલ્હી : દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ પોલીસ સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. પરંપરાગત રીતે તેનું નેતૃત્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન કરે છે. શહીદોના સન્માનમાં દિલ્હી પોલીસ સાથે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની સંયુક્ત પરેડનું પણ આયોજન કરવામાં આવે છે.

પોલીસ સ્મૃતિ દિવસ : 21 ઓક્ટોબર, 1959ના રોજ ચીની સૈનિકોએ લદ્દાખમાં ઓચિંતો હુમલો કર્યો હતો, જેમાં 10 બહાદુર સૈનિકો શહીદ થયા હતા. આ બનાવ તમામ શહીદો દ્વારા બતાવવામાં આવેલી હિંમતની યાદ અપાવે છે, જેમણે ફરજ નિભાવતા સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.

પોલીસ સ્મૃતિ દિવસ સમારોહ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારના રોજ પોલીસ સ્મૃતિ દિવસ સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા ખાતરી આપી હતી કે, ફરજ નિભાવતા જીવ ગુમાવનારા પોલીસ કર્મચારીઓના બલિદાનને ભૂલવામાં આવશે નહીં. સાથે જ દેશમાંથી આતંકવાદ અને માદક દ્રવ્યોની દાણચોરીને ખતમ કરવા માટે દરેક સંભવિત પગલાં લેવામાં આવશે.

બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ : અમિત શાહે કહ્યું કે, આપણા સુરક્ષા દળો છેલ્લા એક દાયકામાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને કાબૂમાં રાખવામાં સફળ રહ્યા છે, પરંતુ લડાઈ હજી પૂરી થઈ નથી. આજે આપણે સૌ દેશની આંતરિક રક્ષામાં શહીદ થયેલા બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છીએ. આ જવાનો કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કિબિથુ સુધી દેશની સરહદોનું રક્ષણ કરી રહ્યા છે.

પોલીસ બલિદાનની આશ્ચર્યજનક સંખ્યા : ગૃહમંત્રી અમિત શાહે પોલીસ બલિદાનની આશ્ચર્યજનક સંખ્યાને પ્રકાશિત કરતા કહ્યું કે, દેશની સુરક્ષા માટે વિવિધ દળોના 36,468 પોલીસ કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ જ કારણ છે કે આપણો દેશ વિકાસમાં આગળ વધી શક્યો છે. વર્ષ 2023માં 216 થી વધુ પોલીસકર્મીઓએ ફરજ દરમિયાન જીવ ગુમાવ્યો હતો.

21 ઓક્ટોબર, 1959 ની ઘટના : અમિત શાહે કહ્યું કે, 21 ઓક્ટોબર 1959ના રોજ 10 બહાદુર CRPF જવાનોએ દેશ માટે બલિદાન આપ્યું હતું. તે દિવસથી અમે દર વર્ષે 21 ઓક્ટોબરને પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઉજવીએ છીએ. પીએમ મોદીના વિચારોને પગલે દિલ્હીમાં બહાદુર જવાનોના સન્માનમાં પોલીસ સ્મારક બનાવવામાં આવ્યું હતું. આ દેશવાસીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે.

  1. કેન્દ્રીય ગૃહપ્રધાન પર નવો આરોપ, મીડિયા રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
  2. જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલો, ફાયરિંગમાં 7 મજૂરોના મોત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.