ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ આપ્યું રાજીનામું, NDA સતત ત્રીજી વખત સરકાર બનાવશે - PM Modi oath

NDA સરકારની રચના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને યોજાય તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી 2024માં ભાજપ ફરી એકવાર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. NDA સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે આગળ વધી રહ્યું છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 5, 2024, 3:04 PM IST

વડાપ્રધાન મોદીએ આપ્યું રાજીનામું
વડાપ્રધાન મોદીએ આપ્યું રાજીનામું (ETV Bharat)

નવી દિલ્હી : નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારની રચનાને લઈને હલચલ વધુ તેજ થઈ ગઈ છે. તાજેતરની માહિતી અનુસાર શપથ ગ્રહણ સમારોહ 8 જૂને યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ લેશે. આ દરમિયાન કેબિનેટની રચનાને લઈને ચર્ચા થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આજે NDAની મહત્વપૂર્ણ બેઠક છે. જણાવવામાં આવી રહ્યું છે કે સરકારની રચનાને લઈને ઘટક પક્ષો સાથે ચર્ચા કરવામાં આવશે.

પીએમ મોદીએ રાજીનામું આપ્યું : તાજેતરની માહિતી અનુસાર પીએમ મોદી થોડા સમય પહેલા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરી, ત્યારબાદ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. તેઓ આગામી સરકારની રચના ન થાય ત્યાં સુધી કાર્યવાહક વડાપ્રધાન રહેશે. એવા પણ અહેવાલ છે કે NDA સંસદીય દળના નેતા માટે 7 જૂને ચૂંટણી યોજાશે, ત્યારબાદ સરકાર બનશે.

NDA સરકારને કોનું સમર્થન : તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીને લોકસભા ચૂંટણી 2024માં 240 સીટ મળી છે. પાર્ટી બહુમતથી 32 સીટ દૂર છે. જોકે NDA 292 બેઠક જીતીને પૂર્ણ બહુમતી હાંસલ કરી છે. મતગણતરી બાદ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. હવે એનડીએ સરકાર બનાવવામાં તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને જનતા દળ (યુનાઈટેડ) મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. જોકે બંને પક્ષોએ ભાજપને સમર્થન આપવાની વાત કહી છે. બીજી તરફ JDU પ્રવક્તાએ NDA ને સમર્થન આપવાની વાત પણ કરી છે.

બેઠકોનો દોર શુરુ : દરમિયાન એવા સમાચાર છે કે નીતીશ કુમાર NDA ની બેઠકમાં હાજરી આપશે. તેઓ પટનાથી દિલ્હી જવા રવાના થયા છે. TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ આંધ્રથી દિલ્હી જવા રવાના થયા હતા. તેઓ પણ એનડીએની બેઠકમાં હાજરી આપશે. તે જ સમયે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા પણ સરકાર બનાવવા માટે ઉત્સાહિત છે. ઈન્ડિયા એલાયન્સના ઘણા ઘટક પક્ષોના નેતાઓએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. દરમિયાન આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક યોજાવા જઈ રહી છે.

  1. લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ માર્જિનથી જીતી ભાજપ, આ બેઠક પર સૌથી ઓછા મતોથી લેવાયો નિર્ણય
  2. સરકાર બનાવવાની યોજના પર કામ શરૂ, અખિલેશને અપાઈ ચંદ્રબાબુ નાયડુ-નીતીશ કુમારને મનાવવાની જવાબદારી

નવી દિલ્હી : નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારની રચનાને લઈને હલચલ વધુ તેજ થઈ ગઈ છે. તાજેતરની માહિતી અનુસાર શપથ ગ્રહણ સમારોહ 8 જૂને યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ લેશે. આ દરમિયાન કેબિનેટની રચનાને લઈને ચર્ચા થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આજે NDAની મહત્વપૂર્ણ બેઠક છે. જણાવવામાં આવી રહ્યું છે કે સરકારની રચનાને લઈને ઘટક પક્ષો સાથે ચર્ચા કરવામાં આવશે.

પીએમ મોદીએ રાજીનામું આપ્યું : તાજેતરની માહિતી અનુસાર પીએમ મોદી થોડા સમય પહેલા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને 17મી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરી, ત્યારબાદ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. તેઓ આગામી સરકારની રચના ન થાય ત્યાં સુધી કાર્યવાહક વડાપ્રધાન રહેશે. એવા પણ અહેવાલ છે કે NDA સંસદીય દળના નેતા માટે 7 જૂને ચૂંટણી યોજાશે, ત્યારબાદ સરકાર બનશે.

NDA સરકારને કોનું સમર્થન : તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીને લોકસભા ચૂંટણી 2024માં 240 સીટ મળી છે. પાર્ટી બહુમતથી 32 સીટ દૂર છે. જોકે NDA 292 બેઠક જીતીને પૂર્ણ બહુમતી હાંસલ કરી છે. મતગણતરી બાદ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. હવે એનડીએ સરકાર બનાવવામાં તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને જનતા દળ (યુનાઈટેડ) મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. જોકે બંને પક્ષોએ ભાજપને સમર્થન આપવાની વાત કહી છે. બીજી તરફ JDU પ્રવક્તાએ NDA ને સમર્થન આપવાની વાત પણ કરી છે.

બેઠકોનો દોર શુરુ : દરમિયાન એવા સમાચાર છે કે નીતીશ કુમાર NDA ની બેઠકમાં હાજરી આપશે. તેઓ પટનાથી દિલ્હી જવા રવાના થયા છે. TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ આંધ્રથી દિલ્હી જવા રવાના થયા હતા. તેઓ પણ એનડીએની બેઠકમાં હાજરી આપશે. તે જ સમયે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા પણ સરકાર બનાવવા માટે ઉત્સાહિત છે. ઈન્ડિયા એલાયન્સના ઘણા ઘટક પક્ષોના નેતાઓએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. દરમિયાન આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક યોજાવા જઈ રહી છે.

  1. લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ માર્જિનથી જીતી ભાજપ, આ બેઠક પર સૌથી ઓછા મતોથી લેવાયો નિર્ણય
  2. સરકાર બનાવવાની યોજના પર કામ શરૂ, અખિલેશને અપાઈ ચંદ્રબાબુ નાયડુ-નીતીશ કુમારને મનાવવાની જવાબદારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.