ETV Bharat / bharat

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર ચુકાદો અનામત રાખતી રાઉઝ એવન્યૂ કોર્ટ - DECISION ON KEJRIWAL BAIL

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 20, 2024, 5:16 PM IST

રાઉઝ એવન્યૂ કોર્ટે દિલ્હી એક્સાઇઝ કૌભાંડના આરોપી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. decision-on-kejriwal-bail-and-medical-checkup-issue-hearing-on-rouse-avenue-court

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

નવી દિલ્હીઃ રાઉઝ એવન્યૂ કોર્ટમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર દિલ્હી એકસાઈઝ કૌભાંડનો ખટલો ચાલી રહ્યો છે. આજે સુનાવણી દરમિયાન EDના ASG SV રાજુએ કહ્યું કે, હવાલા દ્વારા 45 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ ગુજરાત ચૂંટણી દરમિયાન કર્યો હતો. તેમજ ગોવાની 7 સ્ટાર હોટલમાં અરવિંદ કેજરીવાલના રોકાણ માટે ચેનપ્રીતસિંહે પૈસા લીધા હતા. જો કે રાઉઝ એવન્યૂ કોર્ટે દિલ્હી એક્સાઇઝ કૌભાંડના આરોપી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

સાગર પટેલનું નિવેદન વાંચતી વખતે રાજુએ કહ્યું કે, ચેનપ્રીતસિંહ સહિત 3 લોકોને પૈસા મળ્યા હતા. ચેનપ્રીત સિંહને મોટી રકમ મળી હતી જેને કેજરીવાલના રોકાણ અને ગોવાની ચૂંટણીમાં 7 સ્ટાર હોટલમાં ખર્ચવામાં આવી હતી. રાજુએ આગળ કહ્યું કે, ED હવામાં કંઈ બોલી રહી નથી. EDને આપવામાં આવેલી ચલણી નોટોના ફોટોગ્રાફ્સ મળ્યા છે. વિનોદ ચૌહાણે ચેનપ્રીત અને અન્ય લોકોને પૈસા આપવાની સૂચના આપી હતી. વિનોદ ચૌહાણના ફોનમાંથી ચલણી નોટોના ફોટોગ્રાફ મળી આવ્યા હતા. વિનોદ ચૌહાણના કેજરીવાલ સાથે સારા સંબંધો હતા. રાજુએ વિનોદ ચૌહાણ અને કેજરીવાલની ચેટનો ઉલ્લેખ કર્યો.

રાજુએ દલીલ કરી હતી કે, કેજરીવાલ તેમના ફોન પાસવર્ડ નહીં આપીશ. EDએ વિનોદ ચૌહાણનો ફોન લેવો પડ્યો. રાજુએ કહ્યું કે મની લોન્ડરિંગ એક્ટની કલમ 70 મુજબ, જો આમ આદમી પાર્ટીએ ગુનો કર્યો હોય અને કેજરીવાલ આમ આદમી પાર્ટી ચલાવી રહ્યા હોય, તો તેને તે ગુનાનો આરોપી ગણવામાં આવશે. કલમ 70 તેમના પર લાગુ થાય છે કારણ કે તેઓ આમ આદમી પાર્ટી ચલાવે છે.

રાજુએ કહ્યું કે વિજય નાયરને સરકાર સાથે કોઈ લેવાદેવા નથી. એક્સાઈઝ પોલિસી બનાવવામાં તેમનું કોઈ યોગદાન નહોતું, પરંતુ તેનો ઉપયોગ વચેટિયા તરીકે થતો હતો. વિજય નાયરને બેશક કેજરીવાલ સાથે ગાઢ સંબંધો હતા. કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિક્રમ ચૌધરીએ કહ્યું કે આ કેસની તપાસ ઓગસ્ટ 2022માં શરૂ થઈ હતી. ED પાસે જુલાઈ 2023 સુધી કેજરીવાલ વિરુદ્ધ કેટલાક પુરાવા હતા, પરંતુ તેઓએ ઓક્ટોબર 2023માં પહેલું સમન્સ જારી કર્યુ હતું. સીબીઆઈએ કેજરીવાલને સાક્ષી તરીકે બોલાવ્યા. 12 જાન્યુઆરીએ EDએ એક ઈમેલ મોકલ્યો હતો. કેજરીવાલને આમ આદમી પાર્ટીના કન્વીનર તરીકે બોલાવવામાં આવી રહ્યા હોવાનો ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. 16 માર્ચે ચૂંટણીની જાહેરાત કરવામાં આવે છે અને તે જ દિવસે સમન્સ જારી કરવામાં આવે છે. આ કેસ 20 માર્ચે હાઈકોર્ટમાં લિસ્ટેડ છે અને હાઈકોર્ટે ઈડીને નોટિસ જારી કરી છે. 21મી માર્ચે હાઈકોર્ટે કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. જે બાદ 21મી માર્ચની સાંજે EDએ કેજરીવાલની ધરપકડ કરી હતી.

  1. ચૂંટણીને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલને મળશે રાહત? સુપ્રીમ કોર્ટે કહ્યું- વચગાળાના જામીન પર વિચાર કરી શકે છે - Excise Policy Scam
  2. તિહાર જતા પહેલા કેજરીવાલનો સંદેશ, કહ્યું- હું જાઉં છું, પણ દિલ્હીવાસીઓનું કામ નહીં અટકે; સુપ્રીમ કોર્ટ માટે કહી આ ખાસ વાત - DELHI CM KEJRIWAL

નવી દિલ્હીઃ રાઉઝ એવન્યૂ કોર્ટમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર દિલ્હી એકસાઈઝ કૌભાંડનો ખટલો ચાલી રહ્યો છે. આજે સુનાવણી દરમિયાન EDના ASG SV રાજુએ કહ્યું કે, હવાલા દ્વારા 45 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ ગુજરાત ચૂંટણી દરમિયાન કર્યો હતો. તેમજ ગોવાની 7 સ્ટાર હોટલમાં અરવિંદ કેજરીવાલના રોકાણ માટે ચેનપ્રીતસિંહે પૈસા લીધા હતા. જો કે રાઉઝ એવન્યૂ કોર્ટે દિલ્હી એક્સાઇઝ કૌભાંડના આરોપી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

સાગર પટેલનું નિવેદન વાંચતી વખતે રાજુએ કહ્યું કે, ચેનપ્રીતસિંહ સહિત 3 લોકોને પૈસા મળ્યા હતા. ચેનપ્રીત સિંહને મોટી રકમ મળી હતી જેને કેજરીવાલના રોકાણ અને ગોવાની ચૂંટણીમાં 7 સ્ટાર હોટલમાં ખર્ચવામાં આવી હતી. રાજુએ આગળ કહ્યું કે, ED હવામાં કંઈ બોલી રહી નથી. EDને આપવામાં આવેલી ચલણી નોટોના ફોટોગ્રાફ્સ મળ્યા છે. વિનોદ ચૌહાણે ચેનપ્રીત અને અન્ય લોકોને પૈસા આપવાની સૂચના આપી હતી. વિનોદ ચૌહાણના ફોનમાંથી ચલણી નોટોના ફોટોગ્રાફ મળી આવ્યા હતા. વિનોદ ચૌહાણના કેજરીવાલ સાથે સારા સંબંધો હતા. રાજુએ વિનોદ ચૌહાણ અને કેજરીવાલની ચેટનો ઉલ્લેખ કર્યો.

રાજુએ દલીલ કરી હતી કે, કેજરીવાલ તેમના ફોન પાસવર્ડ નહીં આપીશ. EDએ વિનોદ ચૌહાણનો ફોન લેવો પડ્યો. રાજુએ કહ્યું કે મની લોન્ડરિંગ એક્ટની કલમ 70 મુજબ, જો આમ આદમી પાર્ટીએ ગુનો કર્યો હોય અને કેજરીવાલ આમ આદમી પાર્ટી ચલાવી રહ્યા હોય, તો તેને તે ગુનાનો આરોપી ગણવામાં આવશે. કલમ 70 તેમના પર લાગુ થાય છે કારણ કે તેઓ આમ આદમી પાર્ટી ચલાવે છે.

રાજુએ કહ્યું કે વિજય નાયરને સરકાર સાથે કોઈ લેવાદેવા નથી. એક્સાઈઝ પોલિસી બનાવવામાં તેમનું કોઈ યોગદાન નહોતું, પરંતુ તેનો ઉપયોગ વચેટિયા તરીકે થતો હતો. વિજય નાયરને બેશક કેજરીવાલ સાથે ગાઢ સંબંધો હતા. કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિક્રમ ચૌધરીએ કહ્યું કે આ કેસની તપાસ ઓગસ્ટ 2022માં શરૂ થઈ હતી. ED પાસે જુલાઈ 2023 સુધી કેજરીવાલ વિરુદ્ધ કેટલાક પુરાવા હતા, પરંતુ તેઓએ ઓક્ટોબર 2023માં પહેલું સમન્સ જારી કર્યુ હતું. સીબીઆઈએ કેજરીવાલને સાક્ષી તરીકે બોલાવ્યા. 12 જાન્યુઆરીએ EDએ એક ઈમેલ મોકલ્યો હતો. કેજરીવાલને આમ આદમી પાર્ટીના કન્વીનર તરીકે બોલાવવામાં આવી રહ્યા હોવાનો ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. 16 માર્ચે ચૂંટણીની જાહેરાત કરવામાં આવે છે અને તે જ દિવસે સમન્સ જારી કરવામાં આવે છે. આ કેસ 20 માર્ચે હાઈકોર્ટમાં લિસ્ટેડ છે અને હાઈકોર્ટે ઈડીને નોટિસ જારી કરી છે. 21મી માર્ચે હાઈકોર્ટે કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. જે બાદ 21મી માર્ચની સાંજે EDએ કેજરીવાલની ધરપકડ કરી હતી.

  1. ચૂંટણીને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલને મળશે રાહત? સુપ્રીમ કોર્ટે કહ્યું- વચગાળાના જામીન પર વિચાર કરી શકે છે - Excise Policy Scam
  2. તિહાર જતા પહેલા કેજરીવાલનો સંદેશ, કહ્યું- હું જાઉં છું, પણ દિલ્હીવાસીઓનું કામ નહીં અટકે; સુપ્રીમ કોર્ટ માટે કહી આ ખાસ વાત - DELHI CM KEJRIWAL
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.