ETV Bharat / bharat

કોંગ્રેસ નેતા કાંતિલાલ ભુરિયાએ સર્જયો વિવાદ,કહ્યું જે પુરુષને 2 પત્ની હશે એને 2 લાખ રુપિયા આપવામાં આવશે. - CONGRESS LEADER KANTILAL BHURIA

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના રતલામથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર કાંતિલાલ ભુરિયાએ ગુરુવારે એવું કહીને વિવાદ સર્જ્યો છે કે, જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો બે પત્નીઓ ધરાવતા લોકોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે.CONGRESS LEADER KANTILAL BHURIA

author img

By ETV Bharat Gujarati Team

Published : May 10, 2024, 1:41 PM IST

કોંગ્રેસ નેતા કાંતિલાલ ભુરિયાની ટિપ્પણીથી સર્જાયો વિવાદ,
કોંગ્રેસ નેતા કાંતિલાલ ભુરિયાની ટિપ્પણીથી સર્જાયો વિવાદ, (Etv Bharat)

રતલામ: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના રતલામથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર કાંતિલાલ ભુરિયાએ ગુરુવારે એવું કહીને વિવાદ સર્જ્યો છે કે, જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો બે પત્નીઓ ધરાવતા લોકોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. ભુરિયા રતલામમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું. કે, " જો કોંગ્રેસ સત્તામાં આવશે તો અમારા ઘોષણા પત્રમાં કહ્યું છે કે, દરેક મહિલાને તેના બેંક ખાતામાં 1 લાખ રૂપિયા આપવામાં આવશે. દરેક ઘરની મહિલાઓને 1 લાખ રૂપિયા મળશે.જે પણ પુરુષોની બે પત્નીઓ છે તેમને 2 લાખ રુપિયા આપવામાં આવશે.

કાંતિલાલ ભૂરિયાએ ટીપ્પણી કરી: કોંગ્રેસ પાર્ટીએ 5 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો 'ન્યાય પત્ર' જાહેર કર્યો હતો. કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં 'મહાલક્ષ્મી યોજના' શરૂ કરવાનું વચન આપ્યું છે. જે ગરીબોને ગરીબી નાબૂદ કરવા માટે વાર્ષિક 1 લાખ રૂપિયા આપશે. આ દરમિયાન મધ્યપ્રદેશ ભાજપના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ ભુરિયાના નિવેદનની ક્લિપ ટ્વિટર પર શેર કરીને ચૂંટણી પંચને ટેગ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. x પર એક પોસ્ટ પર નરેન્દ્ર સલૂજાએ લખ્યું કે," દેશના મુખિયા જે દેશની 140 કરોડની જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. એમના પર કોંગ્રેસના રતલામના ઉમેદવાર કાંતિલાલ ભૂરિયાએ વાંધાજનક ટીપ્પણી કરી છે. આવી છે કોંગ્રેંસની વિચાર સરણી" ચૂટણી પંચે આ માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.

કાંતિલાલ ભૂરિયાએ સર્જયો વિવાદ: ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પણ ભૂરિયા પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ એવા લોકોને પ્રોત્સાહન આપવા માંગે છે. જેમના પર્સનલ લો બહુવિધ લગ્નની મંજૂરી આપે છે. કોંગ્રેસના કાંતિલાલ ભૂરિયાએ કોંગ્રેસની "જીતની આબાદી ઉતના હક" યોજના/ગેરંટીનું વિકૃત સંસ્કરણ ઉજાગર કર્યું છે. તે મહિલાઓના સન્માનની વાત નથી પરંતુ મહિલાઓ સાથે એક વસ્તુની જેમ વર્તન કરવા વિશે છે, જે ઘૃણાજનક કહી શકાય. કોંગ્રેસનું કહેવું છે કે, જો તમે બહુવિધ લગ્નો કરો છો તો તમે પત્ની દીઠ 1 લાખ રુપિયા મળશે. જો તમારી બે પત્નીઓ છે તો તમને 2 લાખ રુપિયા મળશે. તેવી જ રીતે જો 4 પત્નીઓ હોય તો તમે ગણતરી કરી શકો છો. કાંતિલાલ ભુરિયા એવા લોકોને બાંયધરી આપવા માંગે છે. જેમનો અંગત કાયદો બહુપત્નીત્વને પ્રોત્સાહન આપે છે અને તેમની વોટ બેંક વધુ વસ્તીને પ્રોત્સાહિત કરવા માંગે છે." તેમણે X પર પોસ્ટ કર્યું.

કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે: કાંતિલાલ ભુરિયા સાંસદ પર્યાવરણ મંત્રી નાગરસિંહ ચૌહાણની પત્ની અનીતા ચૌહાણ સામે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. રતલામ મતવિસ્તારમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન થશે. મધ્યપ્રદેશમાં 4 તબક્કામાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે સમાપ્ત થયું હતું, ત્યારબાદ 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન અને 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું.

રાજ્ય માટે અંતિમ તબક્કો 13 મેના રોજ સુનિશ્ચિત થયેલ છે, જેમાં ધાર, દેવાસ, ઉજ્જૈન, મંદસૌર, રતલામ, ઈન્દોર, ખરગોન અને ખંડવા આઠ મતવિસ્તારોનો સમાવેશ થાય છે. 4 જૂને મતગણતરી થશે.

  1. ભાવનગરમાં કેરીની ઓછી આવક અને તરબૂચની ભરપૂર આવક થઇ. બંને ફળોનું ઉનાળામાં ઘણુ મહત્વ - fruits of summer
  2. જુનાગઢની હેમાંગી કારીયા ટોપર બની, સામાન્ય પ્રવાહમાં સમગ્ર જિલ્લામાં જુનાગઢ શહેરનું નામ કર્યું રોશન - GSEB Result 2024

રતલામ: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના રતલામથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર કાંતિલાલ ભુરિયાએ ગુરુવારે એવું કહીને વિવાદ સર્જ્યો છે કે, જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો બે પત્નીઓ ધરાવતા લોકોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. ભુરિયા રતલામમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું. કે, " જો કોંગ્રેસ સત્તામાં આવશે તો અમારા ઘોષણા પત્રમાં કહ્યું છે કે, દરેક મહિલાને તેના બેંક ખાતામાં 1 લાખ રૂપિયા આપવામાં આવશે. દરેક ઘરની મહિલાઓને 1 લાખ રૂપિયા મળશે.જે પણ પુરુષોની બે પત્નીઓ છે તેમને 2 લાખ રુપિયા આપવામાં આવશે.

કાંતિલાલ ભૂરિયાએ ટીપ્પણી કરી: કોંગ્રેસ પાર્ટીએ 5 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો 'ન્યાય પત્ર' જાહેર કર્યો હતો. કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં 'મહાલક્ષ્મી યોજના' શરૂ કરવાનું વચન આપ્યું છે. જે ગરીબોને ગરીબી નાબૂદ કરવા માટે વાર્ષિક 1 લાખ રૂપિયા આપશે. આ દરમિયાન મધ્યપ્રદેશ ભાજપના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ ભુરિયાના નિવેદનની ક્લિપ ટ્વિટર પર શેર કરીને ચૂંટણી પંચને ટેગ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. x પર એક પોસ્ટ પર નરેન્દ્ર સલૂજાએ લખ્યું કે," દેશના મુખિયા જે દેશની 140 કરોડની જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. એમના પર કોંગ્રેસના રતલામના ઉમેદવાર કાંતિલાલ ભૂરિયાએ વાંધાજનક ટીપ્પણી કરી છે. આવી છે કોંગ્રેંસની વિચાર સરણી" ચૂટણી પંચે આ માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.

કાંતિલાલ ભૂરિયાએ સર્જયો વિવાદ: ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પણ ભૂરિયા પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ એવા લોકોને પ્રોત્સાહન આપવા માંગે છે. જેમના પર્સનલ લો બહુવિધ લગ્નની મંજૂરી આપે છે. કોંગ્રેસના કાંતિલાલ ભૂરિયાએ કોંગ્રેસની "જીતની આબાદી ઉતના હક" યોજના/ગેરંટીનું વિકૃત સંસ્કરણ ઉજાગર કર્યું છે. તે મહિલાઓના સન્માનની વાત નથી પરંતુ મહિલાઓ સાથે એક વસ્તુની જેમ વર્તન કરવા વિશે છે, જે ઘૃણાજનક કહી શકાય. કોંગ્રેસનું કહેવું છે કે, જો તમે બહુવિધ લગ્નો કરો છો તો તમે પત્ની દીઠ 1 લાખ રુપિયા મળશે. જો તમારી બે પત્નીઓ છે તો તમને 2 લાખ રુપિયા મળશે. તેવી જ રીતે જો 4 પત્નીઓ હોય તો તમે ગણતરી કરી શકો છો. કાંતિલાલ ભુરિયા એવા લોકોને બાંયધરી આપવા માંગે છે. જેમનો અંગત કાયદો બહુપત્નીત્વને પ્રોત્સાહન આપે છે અને તેમની વોટ બેંક વધુ વસ્તીને પ્રોત્સાહિત કરવા માંગે છે." તેમણે X પર પોસ્ટ કર્યું.

કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે: કાંતિલાલ ભુરિયા સાંસદ પર્યાવરણ મંત્રી નાગરસિંહ ચૌહાણની પત્ની અનીતા ચૌહાણ સામે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. રતલામ મતવિસ્તારમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન થશે. મધ્યપ્રદેશમાં 4 તબક્કામાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે સમાપ્ત થયું હતું, ત્યારબાદ 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન અને 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું.

રાજ્ય માટે અંતિમ તબક્કો 13 મેના રોજ સુનિશ્ચિત થયેલ છે, જેમાં ધાર, દેવાસ, ઉજ્જૈન, મંદસૌર, રતલામ, ઈન્દોર, ખરગોન અને ખંડવા આઠ મતવિસ્તારોનો સમાવેશ થાય છે. 4 જૂને મતગણતરી થશે.

  1. ભાવનગરમાં કેરીની ઓછી આવક અને તરબૂચની ભરપૂર આવક થઇ. બંને ફળોનું ઉનાળામાં ઘણુ મહત્વ - fruits of summer
  2. જુનાગઢની હેમાંગી કારીયા ટોપર બની, સામાન્ય પ્રવાહમાં સમગ્ર જિલ્લામાં જુનાગઢ શહેરનું નામ કર્યું રોશન - GSEB Result 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.