ETV Bharat / bharat

JNUમાં છત્રપતિ શિવાજીના નામે સેન્ટર ખોલવામાં આવશે, ગોરિલ્લા યુદ્ધ નીતિ અને તેમની શાસન કુશળતા પર કરાશે સંશોધન

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં છત્રપતિ શિવાજી મહારાજના નામ પર સેન્ટર ખોલવાની યોજના છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : 1 hours ago

જેએનયુના વાઇસ ચાન્સેલર પ્રો. શાંતિશ્રી ધુલીપુડી પંડિતે માહિતી આપી
જેએનયુના વાઇસ ચાન્સેલર પ્રો. શાંતિશ્રી ધુલીપુડી પંડિતે માહિતી આપી (Etv Bharat)

નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) આવતા વર્ષથી છત્રપતિ શિવાજી મહારાજના નામ પર સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવા જઈ રહી છે. આ કેન્દ્ર જેએનયુના સેન્ટર ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ હેઠળ હશે અને તેનો ઉદ્દેશ્ય ભારતીય જ્ઞાન પ્રણાલીમાં પરિવર્તન લાવવાનો છે. આ પહેલ પાછળના વિચારને વિદ્વાનો અને વહીવટી નેતાઓએ ભારતની સુરક્ષા અને વ્યૂહાત્મક અભ્યાસ માટે વૈકલ્પિક મોડલ વિકસાવવા તરીકે વર્ણવ્યું છે.

જેએનયુના વાઇસ ચાન્સેલર પ્રો. શાંતિશ્રી ધુલીપુડી પંડિતે કહ્યું કે, "અમે છત્રપતિ શિવાજી મહારાજની સમુદ્રી તાકાત, યુદ્ધની વ્યૂહરચના અને હિંદવી સ્વરાજની કલ્પના જેવા વિષયો પર વિચાર કર્યો છે, જેનો આજ સુધી યોગ્ય રીતે અભ્યાસ કરવામાં આવ્યો નથી." તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ગુમનામ નાયકોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે અને તેમના યોગદાનને માન્યતા આપવામાં આવે.

આ પહેલ પ્રત્યે ઉત્સાહ દર્શાવતા મહારાષ્ટ્ર સરકારે 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ આપી છે. આ પગલું એ પરિવર્તનનું પ્રતીક છે જે ભારત હવે તેના ઇતિહાસ અને પ્રતીકોનું પુનઃમૂલ્યાંકન કરી રહ્યું છે.

કેન્દ્રનું માળખું અને અભ્યાસક્રમ: કુલ 14 જગ્યાઓ હશે, જેમાં એક પ્રોફેસર, બે એસોસિએટ પ્રોફેસર અને ચાર આસિસ્ટન્ટ પ્રોફેસરનો સમાવેશ થશે. આ ઉપરાંત એડમિનિસ્ટ્રેટિવ બ્લોક, આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લેબ, લાઈબ્રેરી અને રીડિંગ હોલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. વિદ્યાર્થીઓને આપવામાં આવતા અભ્યાસક્રમોમાં મરાઠા ગ્રાન્ડ સ્ટ્રેટેજી, ગેરિલા ડિપ્લોમસી, અસમપ્રમાણ યુદ્ધ માટે વ્યૂહાત્મક અભિગમ, શિવાજી મહારાજ અને બાદમાં સ્ટેટક્રાફ્ટનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓને આ વિષયો પર સંશોધન કરવાની તક પણ મળશે, જેના દ્વારા તેઓ મહત્વપૂર્ણ ઐતિહાસિક અને વ્યૂહાત્મક જ્ઞાન મેળવી શકશે.

કેન્દ્ર માટે ઈસ્ટ એશિયન સ્ટડીઝ સેન્ટરના પ્રોફેસર અરવિંદ વેલ્લારી અને યુરોપિયન સ્ટડીઝ સેન્ટરના ડો. જગન્નાથન જેવા નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. આ સાથે એક અત્યાધુનિક મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે, જેમાં શિવાજી મહારાજ અને તેમના શાસનની ઐતિહાસિકતા દર્શાવવામાં આવશે.

ભવિષ્યની સંભાવનાઓ: લાંબા ગાળે આ સેન્ટર હેઠળ ડિપ્લોમા કોર્સ શરૂ કરવાની પણ યોજના છે, જે વિદ્યાર્થીઓને વધુ તકો પૂરી પાડશે. આ અભ્યાસક્રમો છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને કાર્ય પ્રણાલીને સમજવામાં તેમજ તેમને લોકોમાં પ્રસિદ્ધ કરવામાં મદદ કરશે. તેવું સત્તાધીશોનું માનવું છે.

શિવાજી મહારાજના નામ પર JNU દ્વારા સ્થપાયેલા સેન્ટર ઓફ એક્સેલન્સ માત્ર ભારતીય ઈતિહાસના પુન:મૂલ્યાંકનનો સંકેત જ નથી, પરંતુ ભારતીય જ્ઞાન પ્રણાલીને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું પણ છે. આ પહેલ સુનિશ્ચિત કરશે કે ભાવિ પેઢીઓ તેમના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે વધુ માહિતગાર બને અને ગાયબ નાયકોના યોગદાનને સમજે.

  1. યૌન શોષણ કેસ: બ્રિજભૂષણ શરણ સિંહની અરજી પર દિલ્હી પોલીસને નોટિસ જારી
  2. પ્રિયંકા ગાંધી વાયનાડથી 23 ઓક્ટોબરે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા, રાહુલ ગાંધી તેમની સાથે રહેશે

નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) આવતા વર્ષથી છત્રપતિ શિવાજી મહારાજના નામ પર સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવા જઈ રહી છે. આ કેન્દ્ર જેએનયુના સેન્ટર ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ હેઠળ હશે અને તેનો ઉદ્દેશ્ય ભારતીય જ્ઞાન પ્રણાલીમાં પરિવર્તન લાવવાનો છે. આ પહેલ પાછળના વિચારને વિદ્વાનો અને વહીવટી નેતાઓએ ભારતની સુરક્ષા અને વ્યૂહાત્મક અભ્યાસ માટે વૈકલ્પિક મોડલ વિકસાવવા તરીકે વર્ણવ્યું છે.

જેએનયુના વાઇસ ચાન્સેલર પ્રો. શાંતિશ્રી ધુલીપુડી પંડિતે કહ્યું કે, "અમે છત્રપતિ શિવાજી મહારાજની સમુદ્રી તાકાત, યુદ્ધની વ્યૂહરચના અને હિંદવી સ્વરાજની કલ્પના જેવા વિષયો પર વિચાર કર્યો છે, જેનો આજ સુધી યોગ્ય રીતે અભ્યાસ કરવામાં આવ્યો નથી." તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ગુમનામ નાયકોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે અને તેમના યોગદાનને માન્યતા આપવામાં આવે.

આ પહેલ પ્રત્યે ઉત્સાહ દર્શાવતા મહારાષ્ટ્ર સરકારે 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ આપી છે. આ પગલું એ પરિવર્તનનું પ્રતીક છે જે ભારત હવે તેના ઇતિહાસ અને પ્રતીકોનું પુનઃમૂલ્યાંકન કરી રહ્યું છે.

કેન્દ્રનું માળખું અને અભ્યાસક્રમ: કુલ 14 જગ્યાઓ હશે, જેમાં એક પ્રોફેસર, બે એસોસિએટ પ્રોફેસર અને ચાર આસિસ્ટન્ટ પ્રોફેસરનો સમાવેશ થશે. આ ઉપરાંત એડમિનિસ્ટ્રેટિવ બ્લોક, આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લેબ, લાઈબ્રેરી અને રીડિંગ હોલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. વિદ્યાર્થીઓને આપવામાં આવતા અભ્યાસક્રમોમાં મરાઠા ગ્રાન્ડ સ્ટ્રેટેજી, ગેરિલા ડિપ્લોમસી, અસમપ્રમાણ યુદ્ધ માટે વ્યૂહાત્મક અભિગમ, શિવાજી મહારાજ અને બાદમાં સ્ટેટક્રાફ્ટનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓને આ વિષયો પર સંશોધન કરવાની તક પણ મળશે, જેના દ્વારા તેઓ મહત્વપૂર્ણ ઐતિહાસિક અને વ્યૂહાત્મક જ્ઞાન મેળવી શકશે.

કેન્દ્ર માટે ઈસ્ટ એશિયન સ્ટડીઝ સેન્ટરના પ્રોફેસર અરવિંદ વેલ્લારી અને યુરોપિયન સ્ટડીઝ સેન્ટરના ડો. જગન્નાથન જેવા નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. આ સાથે એક અત્યાધુનિક મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે, જેમાં શિવાજી મહારાજ અને તેમના શાસનની ઐતિહાસિકતા દર્શાવવામાં આવશે.

ભવિષ્યની સંભાવનાઓ: લાંબા ગાળે આ સેન્ટર હેઠળ ડિપ્લોમા કોર્સ શરૂ કરવાની પણ યોજના છે, જે વિદ્યાર્થીઓને વધુ તકો પૂરી પાડશે. આ અભ્યાસક્રમો છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને કાર્ય પ્રણાલીને સમજવામાં તેમજ તેમને લોકોમાં પ્રસિદ્ધ કરવામાં મદદ કરશે. તેવું સત્તાધીશોનું માનવું છે.

શિવાજી મહારાજના નામ પર JNU દ્વારા સ્થપાયેલા સેન્ટર ઓફ એક્સેલન્સ માત્ર ભારતીય ઈતિહાસના પુન:મૂલ્યાંકનનો સંકેત જ નથી, પરંતુ ભારતીય જ્ઞાન પ્રણાલીને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું પણ છે. આ પહેલ સુનિશ્ચિત કરશે કે ભાવિ પેઢીઓ તેમના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે વધુ માહિતગાર બને અને ગાયબ નાયકોના યોગદાનને સમજે.

  1. યૌન શોષણ કેસ: બ્રિજભૂષણ શરણ સિંહની અરજી પર દિલ્હી પોલીસને નોટિસ જારી
  2. પ્રિયંકા ગાંધી વાયનાડથી 23 ઓક્ટોબરે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા, રાહુલ ગાંધી તેમની સાથે રહેશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.