હવસખોરોએ ક્રૂરતાની હદો વટાવી : અયોધ્યામાં કિશોરી પર બળાત્કાર બાદ હત્યા, શરીર પર કેમિકલ રેડ્યું, પેટમાં કપડું ભર્યું - Rape Murder in Ayodhya - RAPE MURDER IN AYODHYA
અયોધ્યામાં ક્રૂરતાની હદ વટાવતો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક બાળકીનો બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી, નરાધમોએ ત્યારબાદ બાળકીના શરીરને કેમિકલથી સળગાવવાનો પ્રયાસ કર્યો. મૃતદેહ અડધો બળેલો હતો અને માથું ગાયબ હતું. પેટ અને છાતીમાં કપડું ભરવામાં આવ્યું હતું. Rape Murder in Ayodhya
![હવસખોરોએ ક્રૂરતાની હદો વટાવી : અયોધ્યામાં કિશોરી પર બળાત્કાર બાદ હત્યા, શરીર પર કેમિકલ રેડ્યું, પેટમાં કપડું ભર્યું - Rape Murder in Ayodhya હવસખોરોએ ક્રૂરતાની હદો વટાવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-08-2024/1200-675-22333301-thumbnail-16x9-x-aspera.jpg?imwidth=3840)
![ETV Bharat Gujarati Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Aug 30, 2024, 11:56 AM IST
|Updated : Aug 30, 2024, 2:05 PM IST
અયોધ્યા : રામની નગરી અયોધ્યામાં તાજેતરમાં એક બાળકી પર સામુહિક બળાત્કાર થયો, પછી 6 વર્ષની બાળકી પર બળાત્કાર અને હવે ફરી એક બાળકી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર એક બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી. એટલું જ નહીં, મૃતદેહને ઓગળવા માટે તેના પર કેમિકલ પણ રેડવામાં આવ્યું હતું. તેમજ છાતી અને પેટમાં કપડા ભરવામાં આવ્યા હતા. બાળકીનો મૃતદેહ એક ખંડેરમાંથી મળ્યો, તેનું માથું ગાયબ હતું.
ક્રૂરતાની હદો વટાવી : અયોધ્યા જિલ્લાના ગોસાઈગંજ રેલવે સ્ટેશનના જૂના ખંડેરમાં ફેરવાઈ ગયેલા બંગલામાં એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. અયોધ્યા પોલીસના જણાવ્યા અનુસાર મૃતદેહનો અડધો ભાગ સંપૂર્ણ રીતે સડી ગયો છે. માત્ર હાથ અને પગ બાકી હતા, છાતી અને પેટ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા અને તેમાં કપડાં ભરેલા હતા. વધુમાં મૃતદેહનું માથું પણ ગાયબ હતું.
માથા વગરનો મૃતદેહ : પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગતું હતું કે, જાણે મૃતદેહને બાળવામાં આવ્યો હતો. કોઈ કેમિકલ દ્વારા મૃતદેહને પીગળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કર્યા હતા. SP રૂરલ અતુલ સોનકરે જણાવ્યું કે પોલીસ દરેક પાસાઓની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક ટીમની તપાસ બાદ જ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાશે.
મૃતકની ઓળખ ? આ દરમિયાન બપોરે આંબેડકર નગરના અકબરપુર કોતવાલી વિસ્તારના કનક પટ્ટી દશમઢેની રહેવાસી કમલા દેવી ગોસાઈગંજ પોલીસ સ્ટેશન પહોંચી અને જણાવ્યું કે, ગુરુવારે એક ફોન આવ્યો હતો. કોઈએ કહ્યું કે તમારી દીકરીનો મૃતદેહ ગોસાઈગંજ સ્ટેશન પાસે પડી છે. મહિલાની પુત્રી 24 ઓગસ્ટના રોજ ઘરેથી નીકળી હતી, પરંતુ તેના ગુમ થયાની કોઈ માહિતી ક્યાંય નોંધવામાં આવી ન હતી.
પોલીસ તપાસ : પોલીસની કલાકોની શોધખોળ બાદ બાળકીનો કોહવાઈ ગયેલો મૃતદેહ ડાક બંગલાના જૂના ખંડેરમાંથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મૃતદેહને જોયા બાદ એવું લાગી રહ્યું હતું કે, આ ઘટના બીજે ક્યાંક બની છે. ઇન્ચાર્જ ઈન્સપેક્ટર પરશુરામ ઓઝાએ જણાવ્યું કે, મહિલાને ફોન કરીને માહિતી આપનાર વ્યક્તિને શોધી કાઢવામાં આવી રહ્યો છે. DNA રિપોર્ટથી જ પુષ્ટિ થશે કે મૃતદેહ મહિલાની પુત્રીનો છે કે અન્ય કોઈનો.