ETV Bharat / bharat

આગ્રામાં ભાગવત કથામાંથી પરત આવતી ત્રણ બહેનો ટ્રેનની અડફેટે, બેના મોત એક ગૂમ - Agra train accident

author img

By ETV Bharat Gujarati Team

Published : May 17, 2024, 10:47 AM IST

ઉત્તર પ્રદેશના આગ્રામાં ભાગવત કથામાંથી પરત ઘરે જતી ત્રણ બહેનો ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. જેમાં બે બહેનો મૃત્યુ પામ્યા. જ્યારે ત્રીજી બહેન વિષે હજી કોઈ સમાચાર મળ્યા નથી. આ ઘટના બાદ પરિવારના સભ્યોને મોટો આઘાત લાગ્યો છે અને તેઓની રડી રડીને હાલત ખરાબ થઇ ગઈ છે. Agra train accident

દિલ્હી-હાવડા રેલવે ટ્રેક પર નાગલા છબિલા નજીક કિલોમીટર નંબર 1265 પર ગુરુવારે રાત્રે અરુણાચલ સુપરફાસ્ટ ટ્રેનની ટક્કરથી બે છોકરીઓના મોત
દિલ્હી-હાવડા રેલવે ટ્રેક પર નાગલા છબિલા નજીક કિલોમીટર નંબર 1265 પર ગુરુવારે રાત્રે અરુણાચલ સુપરફાસ્ટ ટ્રેનની ટક્કરથી બે છોકરીઓના મોત (Etv Bharat)

આગ્રા: જિલ્લાના બરહાન પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા છબિલા ગામ પાસે ગુરુવારે રાત્રે દિલ્હી-હાવડા રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જતાં બે સગી બહેનોના મોત થયા હતા. જ્યારે ત્રીજી બહેન ગુમ છે, જેના વિષે કોઈ માહિતી હાથે લાગી નથી. માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસને રેલવે ટ્રેક પરથી એક મોબાઈલ મળ્યો છે. ઉપરાંત પોલીસ ત્રીજી યુવતી વિશે માહિતી એકત્ર કરી રહી છે.

આગ્રામાં ભાગવત કથામાંથી પરત આવતી ત્રણ બહેનો ટ્રેનની અડફેટે, બેના મોત
આગ્રામાં ભાગવત કથામાંથી પરત આવતી ત્રણ બહેનો ટ્રેનની અડફેટે, બેના મોત (etv bharat gujarat)

બરહાન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર રાજીવ રાઘવે જણાવતા કહ્યું કે, "દિલ્હી-હાવડા રેલવે ટ્રેક પર નાગલા છબિલા નજીક કિલોમીટર નંબર 1265 પર ગુરુવારે રાત્રે અરુણાચલ સુપરફાસ્ટ ટ્રેનની ટક્કરથી બે છોકરીઓના મોત થઈ ગયા હતા. જ્યારે સ્થાનિક લોકોએ ટ્રેક પર મૃતદેહો જોયા તો તેમણે પોલીસને જાણ કરી. ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. મૃતદેહોની ઓળખ ગોહિલા ગામના રહેવાસી મહેશ વાલ્મિકીની પુત્રી કિરણ (22) અને સરિતા (20) તરીકે થઈ હતી. જ્યારે ત્રીજી બહેનની શોધખોળ ચાલુ છે."

પોલીસ શોધખોળ અને તપાસમાં વ્યસ્ત: ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનોમાં હોબાળો મચી ગયો હતો. પરિવારે પોલીસને જણાવ્યું કે, ત્રણય બહેનો કિરણ, સરિતા અને શિવાની (18) ભાગવત કથા સાંભળવા માટે સાથે નીકળ્યા હતા. આ દરમિયાન તે કેવી રીતે ટ્રેનની અડફેટે આવી તેની હજી કોઈ માહિતી મળી નથી. તેથી આ સંપૂર્ણ અકસ્માત કેવી રીતે થયો? કેવી રીતે યુવતીઓ ટ્રેનની અડફેટે આવી? પોલીસ તેની શોધખોળ અને તપાસમાં વ્યસ્ત થઇ ગઈ છે.

કિરણે તેની સાથે મોબાઈલ પર વાત કરી: મહેશ વાલ્મિકીના પુત્ર રાહુલે પોલીસને જણાવ્યું કે, તે દિલ્હીમાં રહે છે. પત્નીની તબિયતસારી ના હોવાના કારણે તે ઘરે આવ્યો હતો. તે પોતાની પત્ની માટે દવા લેવા આગ્રા ગયો હતો. ઘટના પહેલા કિરણે તેની સાથે મોબાઈલ પર વાત પણ કરી હતી. તેણે જણાવ્યું કે, શિવાની પણ તેની સાથે છે.

ઘાટકોપર હોર્ડિંગ દૂર્ઘટના, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીની ઉદયપુરથી કરી ધરપકડ - Ghatkopar hoarding collapse

મુસ્લિમ યુવતીએ ઈસ્લામ છોડીને અપનાવ્યો હિન્દુ ધર્મ, રૂબીનાથી પ્રીતિ બનીને પ્રેમી સાથે કર્યા લગ્ન - Muslim girl adopted Hindu religion

આગ્રા: જિલ્લાના બરહાન પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા છબિલા ગામ પાસે ગુરુવારે રાત્રે દિલ્હી-હાવડા રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જતાં બે સગી બહેનોના મોત થયા હતા. જ્યારે ત્રીજી બહેન ગુમ છે, જેના વિષે કોઈ માહિતી હાથે લાગી નથી. માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસને રેલવે ટ્રેક પરથી એક મોબાઈલ મળ્યો છે. ઉપરાંત પોલીસ ત્રીજી યુવતી વિશે માહિતી એકત્ર કરી રહી છે.

આગ્રામાં ભાગવત કથામાંથી પરત આવતી ત્રણ બહેનો ટ્રેનની અડફેટે, બેના મોત
આગ્રામાં ભાગવત કથામાંથી પરત આવતી ત્રણ બહેનો ટ્રેનની અડફેટે, બેના મોત (etv bharat gujarat)

બરહાન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર રાજીવ રાઘવે જણાવતા કહ્યું કે, "દિલ્હી-હાવડા રેલવે ટ્રેક પર નાગલા છબિલા નજીક કિલોમીટર નંબર 1265 પર ગુરુવારે રાત્રે અરુણાચલ સુપરફાસ્ટ ટ્રેનની ટક્કરથી બે છોકરીઓના મોત થઈ ગયા હતા. જ્યારે સ્થાનિક લોકોએ ટ્રેક પર મૃતદેહો જોયા તો તેમણે પોલીસને જાણ કરી. ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. મૃતદેહોની ઓળખ ગોહિલા ગામના રહેવાસી મહેશ વાલ્મિકીની પુત્રી કિરણ (22) અને સરિતા (20) તરીકે થઈ હતી. જ્યારે ત્રીજી બહેનની શોધખોળ ચાલુ છે."

પોલીસ શોધખોળ અને તપાસમાં વ્યસ્ત: ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનોમાં હોબાળો મચી ગયો હતો. પરિવારે પોલીસને જણાવ્યું કે, ત્રણય બહેનો કિરણ, સરિતા અને શિવાની (18) ભાગવત કથા સાંભળવા માટે સાથે નીકળ્યા હતા. આ દરમિયાન તે કેવી રીતે ટ્રેનની અડફેટે આવી તેની હજી કોઈ માહિતી મળી નથી. તેથી આ સંપૂર્ણ અકસ્માત કેવી રીતે થયો? કેવી રીતે યુવતીઓ ટ્રેનની અડફેટે આવી? પોલીસ તેની શોધખોળ અને તપાસમાં વ્યસ્ત થઇ ગઈ છે.

કિરણે તેની સાથે મોબાઈલ પર વાત કરી: મહેશ વાલ્મિકીના પુત્ર રાહુલે પોલીસને જણાવ્યું કે, તે દિલ્હીમાં રહે છે. પત્નીની તબિયતસારી ના હોવાના કારણે તે ઘરે આવ્યો હતો. તે પોતાની પત્ની માટે દવા લેવા આગ્રા ગયો હતો. ઘટના પહેલા કિરણે તેની સાથે મોબાઈલ પર વાત પણ કરી હતી. તેણે જણાવ્યું કે, શિવાની પણ તેની સાથે છે.

ઘાટકોપર હોર્ડિંગ દૂર્ઘટના, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીની ઉદયપુરથી કરી ધરપકડ - Ghatkopar hoarding collapse

મુસ્લિમ યુવતીએ ઈસ્લામ છોડીને અપનાવ્યો હિન્દુ ધર્મ, રૂબીનાથી પ્રીતિ બનીને પ્રેમી સાથે કર્યા લગ્ન - Muslim girl adopted Hindu religion

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.