ETV Bharat / bharat

હિમાચલ પ્રદેશ મોટી હોનારાત, રામપુરના સમેજ ખડ્ડમાં વાદળ ફાટ્યુ, 32 લોકો ગૂમ - cloudburst in shimla

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 1, 2024, 10:27 AM IST

શિમલા જિલ્લાના રામપુરમાં આજે સવારે વાદળ ફાટ્યું. ઝાકડીના સમેજ ખડ્ડમાં વાદળ ફાટવાને કારણે 32 લોકો ગુમ હોવાના અહેવાલ છે. રેસ્ક્યુ ટીમે ગુમ થયેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. વાદળ ફાટવાના કારણે આ વિસ્તારમાં સર્વત્ર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

હિમાચલ પ્રદેશ મોટી હોનારાત
હિમાચલ પ્રદેશ મોટી હોનારાત (Etv Bharat)

રામપુર: હિમાચલ પ્રદેશમાં ચોમાસાની મોસમ દરમિયાન, ઉપરવાસના વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે શિમલા જિલ્લાના રામપુરમાં પણ વાદળ ફાટવાથી મોટી તારાજી સર્જાય છે. રામપુરના ઝાકડીના સમેજ ખડ્ડમાં આજે વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. આજે એટલે કે ગુરુવારે વહેલી સવારે, સમેજ ખડ્ડમાં હાઈડ્રો પ્રોજેક્ટ નજીક વાદળ ફાટ્યું હતું, જેના કારણે આ વિસ્તારમાં ભારે વિનાશ સર્જાયો છે. વાદળ ફાટવાની માહિતી મળતા જ રામપુર સબ-ડિવિઝન પ્રશાસન, NDRF, CISF, હોમગાર્ડ અને મેડિકલ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

વાદળ ફાટ્યા બાદ 22 લોકો ગુમ: એસડીએમ રામપુર નિશાંત તોમરે જણાવ્યું કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ વાદળ ફાટવાને કારણે અસરગ્રસ્ત વિસ્તારમાંથી 32 લોકો લાપતા હોવાનું કહેવાય છે. જ્યારે આ વિનાશને કારણે, રસ્તાઓ પણ ઘણી જગ્યાએ તૂટી ગયા છે અને બંધ છે. જેના કારણે રેસ્ક્યુ ટીમ બે કિલોમીટર ચાલીને સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યુ ટીમે રાહત કાર્ય શરૂ કરી દીધું છે.

ગુમ થયેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ: એસડીએમ રામપુરે જણાવ્યું કે રેસ્ક્યુ ટીમમાં આઈટીબીપી અને સ્પેશિયલ હોમગાર્ડ ટુકડીને પણ સામેલ કરવામાં આવી છે. તમામ ટીમો એક થઈને બચાવ કામગીરીમાં લાગેલી છે. બચાવ કામગીરી દરમિયાન એમ્બ્યુલન્સ સહિત તમામ પાયાની સુવિધાઓ તૈનાત કરવામાં આવી છે. એસડીએમ રામપુર નિશાંત તોમરે જણાવ્યું કે આ દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોને શોધવા માટે રેસ્ક્યુ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. લોકોને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ડીસી અને એસપી શિમલા પણ ઘટનાસ્થળે: વાદળ ફાટવાની માહિતી મળતાની સાથે જ ડીસી શિમલા અનુપમ કશ્યપ અને એસપી સંજીવ ગાંધી પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા. ડીસી શિમલા અનુપમ કશ્યપે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતા જ NDRFની ટીમ, પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ડીસી શિમલાએ કહ્યું કે એડિશનલ ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં પોલીસ, હોમગાર્ડ, ફાયર બ્રિગેડ, સુન્ની ડેમ મેનેજમેન્ટ અને અન્ય વિભાગોને સામેલ કરવામાં આવ્યા છે.

  1. લાઈવ કેરળના વાયનાડમાં ભૂસ્ખલન બાદ સેનાએ સંભાળ્યો મોરચો, 500થી વધુ જવાનો બચાવ અભિયાનમાં, કેરલના CM સહિત રાહુલ-પ્રિયંકા વાયનાડની મુલાકાતે - Kerala Wayanad Landslide updates

રામપુર: હિમાચલ પ્રદેશમાં ચોમાસાની મોસમ દરમિયાન, ઉપરવાસના વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે શિમલા જિલ્લાના રામપુરમાં પણ વાદળ ફાટવાથી મોટી તારાજી સર્જાય છે. રામપુરના ઝાકડીના સમેજ ખડ્ડમાં આજે વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. આજે એટલે કે ગુરુવારે વહેલી સવારે, સમેજ ખડ્ડમાં હાઈડ્રો પ્રોજેક્ટ નજીક વાદળ ફાટ્યું હતું, જેના કારણે આ વિસ્તારમાં ભારે વિનાશ સર્જાયો છે. વાદળ ફાટવાની માહિતી મળતા જ રામપુર સબ-ડિવિઝન પ્રશાસન, NDRF, CISF, હોમગાર્ડ અને મેડિકલ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

વાદળ ફાટ્યા બાદ 22 લોકો ગુમ: એસડીએમ રામપુર નિશાંત તોમરે જણાવ્યું કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ વાદળ ફાટવાને કારણે અસરગ્રસ્ત વિસ્તારમાંથી 32 લોકો લાપતા હોવાનું કહેવાય છે. જ્યારે આ વિનાશને કારણે, રસ્તાઓ પણ ઘણી જગ્યાએ તૂટી ગયા છે અને બંધ છે. જેના કારણે રેસ્ક્યુ ટીમ બે કિલોમીટર ચાલીને સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યુ ટીમે રાહત કાર્ય શરૂ કરી દીધું છે.

ગુમ થયેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ: એસડીએમ રામપુરે જણાવ્યું કે રેસ્ક્યુ ટીમમાં આઈટીબીપી અને સ્પેશિયલ હોમગાર્ડ ટુકડીને પણ સામેલ કરવામાં આવી છે. તમામ ટીમો એક થઈને બચાવ કામગીરીમાં લાગેલી છે. બચાવ કામગીરી દરમિયાન એમ્બ્યુલન્સ સહિત તમામ પાયાની સુવિધાઓ તૈનાત કરવામાં આવી છે. એસડીએમ રામપુર નિશાંત તોમરે જણાવ્યું કે આ દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોને શોધવા માટે રેસ્ક્યુ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. લોકોને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ડીસી અને એસપી શિમલા પણ ઘટનાસ્થળે: વાદળ ફાટવાની માહિતી મળતાની સાથે જ ડીસી શિમલા અનુપમ કશ્યપ અને એસપી સંજીવ ગાંધી પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા. ડીસી શિમલા અનુપમ કશ્યપે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતા જ NDRFની ટીમ, પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ડીસી શિમલાએ કહ્યું કે એડિશનલ ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં પોલીસ, હોમગાર્ડ, ફાયર બ્રિગેડ, સુન્ની ડેમ મેનેજમેન્ટ અને અન્ય વિભાગોને સામેલ કરવામાં આવ્યા છે.

  1. લાઈવ કેરળના વાયનાડમાં ભૂસ્ખલન બાદ સેનાએ સંભાળ્યો મોરચો, 500થી વધુ જવાનો બચાવ અભિયાનમાં, કેરલના CM સહિત રાહુલ-પ્રિયંકા વાયનાડની મુલાકાતે - Kerala Wayanad Landslide updates
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.