પોરબંદરના બખરલા ગામે ખેતરમાં પાણી ભરાવાથી પાક નિષ્ફળ જવાની ભીતિ - The crop failed due to flooding
પોરબંદરઃ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી સમયમાં પણ વરસાદ પડશે તેવી આગાહી છે. ત્યારે પોરબંદરના બખરલા ગામના ખેડૂતોએ ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે પોતાના ખેતરમાં પાણી ભરાઈ ગયા હોય અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં પાણી ભરાઈ જવાના કારણે પાક નિષ્ફળ ગયો હોય તેવું જણાવ્યું હતું અને સરકાર સમક્ષ વળતરની માંગ કરી હતી.