ગુજરાત

gujarat

By

Published : Nov 9, 2019, 5:16 PM IST

ETV Bharat / videos

અયોધ્યા ચુકાદો: CM રૂપાણીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો

રાજકોટઃ બહુચર્ચિત અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ મુખ્યપ્રધાન રૂપાણીએ નિર્ણયને આવકાર્યો છે. વિજય રૂપાણી રાજકોટના પ્રવાસે છે, ત્યારે શહેરના અટલ સરોવર ખાતે એક ખાતમુહર્તના કાર્યક્રમ બાદ મીડિયાને અયોધ્યા ચુકાદા મામલે પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અયોધ્યા મામલે જે પણ ચુકાદો આવ્યો છે તેનું સન્માન કરીએ છીએ અને સ્વાગત કરીએ છીએ. હું ન્યાયાધીશોને પણ અભિનંદન પાઠવું છું અને વર્ષો જૂના આ વિવાદનો આજે અંત આવ્યો છે. દેશની એક્તા અને અખંડિતતાને વધુ મજબુત બનાવવા આ ચુકાદો ઉપયોગી થશે. આ સાથે જ રાજ્યમાં તમામ લોકોએ આ ચુકાદાને આવકારવા અને શાંતિ જાળવવા માટે મુખ્યપ્રધાને અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details