દાહોદમાં ઈદે મિલાદ-ઉન-નબીની ઉજવણી કરાઇ
દાહોદઃ ઈદે મિલાદ-ઉન-નબી ( પયગંબર સાહેબ)ના જન્મ દિવસે દાહોદ શહેરના મુસ્લિમ બિરાદરોએ ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી. મુસ્લિમ ધર્મપ્રેમી જનતાએ શરબતના સ્ટોલ ઊભા કર્યા હતા. જૂલુસના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ પોલીસ દ્વારા ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.