ગુજરાત

gujarat

By

Published : Jul 18, 2020, 12:18 AM IST

ETV Bharat / videos

છોટા ઉદેપુરમાં 3 મજૂરોને લાગ્યો કરંટ, કોઈ જાનહાનિ નહીં

છોટા ઉદેપુરઃ નગર સેવા સદન દ્વારા જૂના થાંભલાના સ્થાને નવા થાંભલા તેમજ નવી લાઈટો લગાવવાનું કામ હાઇવે રોડ પર ચાલી રહ્યું છે. શુક્રવાર સાંજે ફતેપુરા પાસે મજૂરો ડિવાઈડરની વચ્ચે થાંભલો ઉભો કરી રહ્યા હતા. આ દરમિયાન થાંભલા ઉપર પસાર થઈ રહેલી મેઇન લાઈનનો વાયર થાંભલને અડકી જતા 3 મજૂરોને કરંટ લાગ્યો હતો. આ અકસ્માતને પગલે સામે આવેલી દુકાનદારે તાત્કાલિક 108 જાણ કરી હતી. જે બાદ મજૂરોને સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

ABOUT THE AUTHOR

...view details