ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લામાં કોરોના દર્દીને આસાનીથી રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહે તે માટે કલેક્ટરે કર્યું આયોજન

વલસાડ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને લઇને દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં 300 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, ત્યારે વધુ ક્રિટિકલ કન્ડિશનમાં આવનારા દર્દીઓને ઉભી થતી રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂરિયાતને પહોંચી વળવા જિલ્લા કલેક્ટર દ્વારા એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. જેના દ્વારા સોશિયલ મીડિયાના વિશેષ માધ્યમથી સારવાર લઈ રહેલા દર્દીના ડોક્ટર દ્વારા જ ઇન્જેકશનની ઈ-મેલ અથવા વોટ્સએપના માધ્યમથી દર્દીના પ્રિસ્કીપ્સન સાથે માંગણી કરાય છે. જે બાદ જરૂરિયાતમંદ દર્દીની સ્થિતિ જોયા બાદ પ્રાથમિકતાના ધોરણે જે તે દર્દીને ઈન્જેક્શન આપવામાં આવે છે.

By

Published : Apr 17, 2021, 3:57 PM IST

Updated : Apr 17, 2021, 5:10 PM IST

રેમડેસીવીર ઇન્જેક્શન આસાનીથી ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા વિશેષ આયોજન
રેમડેસીવીર ઇન્જેક્શન આસાનીથી ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા વિશેષ આયોજન

  • રેમડેસીવીર ઇન્જેક્શન આસાનીથી ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા વિશેષ આયોજન
  • સિવિલ સર્જન અને ડીનની બે કમિટી બનાવવામાં આવી
  • ઇન્જેક્શનની માંગ ઈ-મેલ કે સોશિયલ મીડિયાથી જરૂરી કાગળો સાથે કરવામાં આવે છે
  • કમિટી દ્વારા દર્દીના કાગળો જોયા બાદ ઇન્જેક્શનનો જથ્થો આપવામાં આવે છે

વલસાડ: જિલ્લામાં આવતા જતા કોરોનાના દર્દીઓની સંખ્યાને જોતા તેમને ઉભી થતી જરૂર ઇન્જેક્શનની જરૂરિયાતને પહોંચી વળવા માટે દર્દીના સગા-સંબંધીઓ અનેક વિસ્તારમાં ધરમ ધક્કા ખાતા હોય છે પરંતુ તેમ છતાં પણ તેઓને ઇન્જેક્શન મળતું નથી ત્યારે આવા સંજોગોમાં લોકોને વધુ ધક્કા ન ખાવા પડે અને દર્દીઓને સીધા જ આ ઇન્જેક્શન મળી જાય તે માટે વલસાડ જિલ્લા કલેક્ટર આર. આર. રાવલ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ઇન્જેક્શનની માંગ ઈ-મેલ કે સોશિયલ મીડિયાથી જરૂરી કાગળો સાથે કરવામાં આવે છે

આ પણ વાંચો:રાજકોટમાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતાં 2 શખ્સોની ધરપકડ

વલસાડ જિલ્લાના સિવિલ સર્જન અને ડીનની બે કમિટી બનાવવામાં આવી છે

સારવાર લઈ રહેલા દર્દીઓને ઉભી થતી રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂરિયાત પૂર્ણ કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા સિવિલ સર્જન અને ડીનની એક વિશેષ બે કમિટીની રચના કરવામાં આવી છે. જેના દ્વારા જિલ્લાની તમામ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીને ઉભી થતી જરૂરિયાત મુજબ દર્દીની સારવાર આપી રહેલા ડોક્ટર દ્વારા જ દર્દીના જરૂરી કાગળો સાથે ઇ-મેલ અને વોટ્સએપના માધ્યમથી ઇન્જેક્શનની માંગ મૂકવામાં આવે છે. સાંજે ચાર વાગ્યા સુધી જિલ્લામાંથી આવતી માંગને જોતા કમિટી દ્વારા દર્દીના કાગળો જોઈ જે દર્દીને ખૂબ જ જરૂરિયાત હોય તે દર્દી માટે તાત્કાલિક ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને તે માટે પણ દર્દીના કોઇપણ સગા-સંબંધીને લેવા માટે મોકલવામાં આવતા નથી પરંતુ જે તે હોસ્પિટલના વિશેષ વ્યક્તિને દર્દીના કાગળો સાથે મોકલવામાં આવે છે.

આ પણ વાંચો:પાટણમાં રેમડેસીવીર ઈન્જેકશન માટે વહીવટી તંત્રની અનોખી પહેલ

ઇન્જેક્શનનું પેમેન્ટ પણ બેન્કના માધ્યમથી કરવામાં આવે છે

રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા માટે જિલ્લામાંથી આવતી જરૂરિયાતને જોતા કમિટી દ્વારા જે દર્દીઓની પરિસ્થિતિ ખૂબ નબળી હોય અને ખૂબ જ જરૂર હોય તેવા દર્દીઓને પ્રાથમિકતા આપી ઈન્જેક્શન આપવામાં આવતા હોય છે અને તે માટે જિલ્લાની જરૂરિયાત મંદ હોસ્પિટલના વ્યક્તિઓ સિવિલ પર તેમને લેવા માટે આવે છે. તેનું પેમેન્ટ પણ બેન્કના માધ્યમથી કરવામાં આવે છે. જેથી ઇન્જેક્શનની કાળા બજારી થવી શક્ય નથી.

કાળા બજાર રોકવા માટે એક વિશેષ વ્યવસ્થા ઉભી કરી

આમ વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા દર્દીઓના સગા-સંબંધીને ઇન્જેક્શન માટે ખાવા પડતા ધરમ ધક્કાને રોકવા તેમજ ઇન્જેક્શનના થતા કાળા બજાર રોકવા માટે એક વિશેષ વ્યવસ્થા ઉભી કરી કમિટીની રચના કરવામાં આવી છે. જેના દ્વારા ઈ-મેલ અને સોશિયલ મીડિયા ઉપર જરૂરી કાગળો મંગાવ્યા બાદ પ્રાથમિકતા મુજબ ઇન્જેક્શનો જથ્થો આપવામાં આવે છે.

Last Updated : Apr 17, 2021, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details