પારડી તાલુકાના સોંઢલવાડા ગામે શુક્રવારે વહેલી સવારે ઈશ્વરભાઈ ભંડારીને ઘર આંગણે બાંધેલા વાછરડાનું દીપડાએ મારણ કરતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. આ ઘટનાની જાણ ઈશ્વરભાઈએ ગામના સરપંચને કર્યા બાદ સરપંચે વનવિભાગને સમગ્ર બાબતની જાણકારી આપી હતી.
વલસાડના સોંઢલવાડા ગામે દીપડાએ વાછરડું ફાડી ખાતા ફફડાટ
વલસાડઃ જિલ્લાના પારડી ખાતે આવેલા સોંઢલવાડા ગામમાં વહેલી પરોઢિયે ઘર આંગણે બાંધેલા વાછરડાને દિપડાએ ફાડી ખાતા સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દિપડાનો આતંક વધ્યો છે ત્યારે જંગલખાતાએ દિપડાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વલસાડના સોંઢલવાડા ગામે દીપડાએ વાછરડું ફાડી ખાતા ફફડાટ
જેના બાદ જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા ઘટનાને ગંભીરતાપુર્વક લઈ દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવવા માટેની તજવીજ હાથ ધરાઇ હતી.