ગુજરાત

gujarat

કોરોના આંક વધતા મામલતદાર કચેરીના મહત્વના કામકાજો 31 જુલાઈ સુધી બંધ

વલસાડ જિલ્લામાં કોરોનાનો આંકડો દિનપ્રતિદિન વધી રહ્યો છે. આ આંકડો કુલ 400ને પાર પહોંચ્યો છે. ત્યારે સરકારી કચેરીના કર્મચારીઓ પણ તેમાંથી બાકાત નથી રહ્યા. સરકારી કચેરીમાં વધુ સંક્રમણ ન વધે તેવા હેતુથી જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓને આગામી તારીખ 31 જુલાઈ સુધી કેટલાક મહત્વના કામો બંધ રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે.

By

Published : Jul 17, 2020, 3:49 PM IST

Published : Jul 17, 2020, 3:49 PM IST

ો
કોરોના આંક વધતા મામલતદાર કચેરીના મહત્વના કામકાજો 31 જુલાઈ સુઘી બંધ

વલસાડ: શહેર-જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને લઈને સરકારી કચેરીમાં સંક્રમણ ન વધે તેવા હેતુથી જિલ્લા કલેકટર દ્વારા આગામી તારીખ 31 જુલાઈ સુધી મામલતદાર કચેરીઓમાં કેટલાક કામકાજો બંધ રાખવા માટેની સુચના આપવામાં આવી છે. જેને લઈને આજથી વલસાડ જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ બંધ રહેશે.

કોરોના આંક વધતા મામલતદાર કચેરીના મહત્વના કામકાજો 31 જુલાઈ સુઘી બંધ

મામલતદાર કચેરીમાં જરૂરી એવા માં અમૃતમ કાર્ડ અને અન્ય આરોગ્યલક્ષી કાર્ડ માટેના પ્રમાણપત્રો આપી શકાશે. જ્યારે જમીન દફતરના કામો તેમજ અન્ય સ્ત્રીઓ રદ કરવી જેવા કામો 31 જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

જેને લઇને આજથી જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓએ કચેરી બંધ હોવાના સાઇનબોર્ડ ગેટની બહાર લટકાવ્યા છે. આજે વહેલી સવારથી મામલતદાર કચેરીએ આવેલા અનેક લોકો અટવાયા હતાં.

કોરોના આંક વધતા મામલતદાર કચેરીના મહત્વના કામકાજો 31 જુલાઈ સુઘી બંધ

મહત્વનું છે કે વાપી મામલતદાર કચેરીના એક કર્મચારી અને પારડી નગરપાલિકાના સિનિયર ક્લાર્કનું સારવાર દરમિયાન મોત થયા બાદ સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે. સંક્રમણ ન વધે તે માટે મામલતદાર કચેરીઓ આગામી તારીખ 31 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

કોરોના આંક વધતા મામલતદાર કચેરીના મહત્વના કામકાજો 31 જુલાઈ સુઘી બંધ

ABOUT THE AUTHOR

...view details