ગુજરાત

gujarat

ETV Bharat / state

CM રૂપાણી કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરના 15મા પાટોત્સવમાં રહ્યા હાજર

વડોદરાઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે વડોદરાની મુલાકાત દીધી હતી. જેમાં તેમણે સ્વામિનારાયણ મંદિર ખાતે 15મા પાટોત્સવમાં હાજરી આપી હતી.

By

Published : May 17, 2019, 12:21 PM IST

Updated : May 17, 2019, 12:45 PM IST

vijay rupani

વડોદરા શહેરના કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે 15મા પાટોત્સવમાં વિજય રૂપાણીએ હાજરી આપી હતી. પાટોત્સવમાં વિવિધ શિબિરોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજય રૂપાણીએ હાજરી આપી હતી.

પાટોત્સવમાં રૂપાણીએ જણાવ્યું કે, “આવનારા સમયમાં ભારત સુરક્ષિત અને પ્રગતિ કરશે. સ્વામીજીના કારણે યુવાનો વ્યસન મુક્ત થઈ રહ્યા છે.” સાથે જ તેવું પણ જણાવ્યું કે, વડોદરા લોકસભા બેઠક પર ભાજપની જીત થશે તેવું કહી સાંસદનો આભાર માન્યો હતો. તો અટલજીની કવિતા સાથે અટલજીને પણ યાદ કર્યા હતા.

વિજય રૂપાણીએ PM મોદીની પ્રસંશા કરતા કહ્યું કે, “મોદી કોઈને છોડશે નહીં, સત્યનો વિજય થાય છે. 'સર્વે સુખી તો સુખી આપણે'નો મંત્ર આપનાવવો જોઈએ મોદી પણ એ જ કરી રહ્યા છે. વોટબેંકના કારણે બીજાને અપશબ્દો બોલવા તે યોગ્ય નથી. રાષ્ટ્રવાદ ટકશે તો દેશ ટકશે. PM મોદી વિરૂદ્ધ આ ચૂંટણીમાં અનેક લોકો અપશબ્દો બોલ્યા છે. રાજકીય નેતાઓએ શબ્દો થકી જે પથ્થરો ફેંક્યા છે. તેનો જ ઉપયોગ કરી મોદી PM બન્યા છે.”

Last Updated : May 17, 2019, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details