વડોદરાની નંદેશરી ચોકડી પાસે એક ભંગાર ના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ પવનના કારણે બાજુના ત્રણ જેટલા ગોડાઉન પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેટની ટીમને કરવામાં આવતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
વડોદરામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, કારણ અકબંધ
વડોદરાઃ શહેરમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા અને પવનના કારણે આજુબાજુમાં આવેલા બીજા ત્રણ જેટલા ગોડાઉન પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. જેથી ફાયરબ્રિગેડની ટીમને પણ આગને બુઝાવવામાં સમય લાગ્યો હતો.
ગોડાઉનમાં ભીષણ આગ
આગ એટલી હદે તીવ્ર હતી કે, આગ ઓલવવા ફાયર ફાઇટર પણ જાણે ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા નીવડ્યા હતા. કારણ કે, પવનના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી જેના કારણે રોજ બરોજની અવરજવર થતી હોય તેવા નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી.
Last Updated : May 11, 2019, 10:22 AM IST