ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાની વરસાદી સ્થિતી અંગે રાજય સરકાર સાથે PMO કાર્યાલય સતત સંપર્કમાં

વડોદરાઃ જિલ્લાના આજવા ડેમના ઉપરવાસ હાલોલ, કાલોલ, પાવાગઢમાં એકીસાથે ભારે વરસાદ થવાને કારણે આજવા ડેમમાં પણ પાણી આવ્યું છે. ડેમ ઓવરફલો થતાં પાણી વિશ્વામિત્રી નદીમાં જવાથી હાલ વિશ્વામિત્રીની જળસપાટી 34.5 ફૂટ સુધી પહોંચી છે. વડોદરામાં ભારે વરસાદની સ્થિતિ પર PMO કાર્યાલય રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં રહી અને પરિસ્થિતીનો તાગ મેળવી રહ્યા છે.

By

Published : Aug 1, 2019, 7:39 PM IST

Updated : Aug 1, 2019, 8:15 PM IST

vdr

વડોદરામાં ભારે વરસાદને કારણે આજવા ડેમ ઓવરફલો થતાં વિશ્વામિત્રી નદીમાં પાણીનો ભરાવો થયો છે .અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વામિત્રી નદીનું પાણી વડોદરા શહેરમાં ભરાઈ જવાની સ્થિતી સર્જાઈ છે. વડોદરાના નીચાણવાળા વિસ્તારના અંદાજે 5000 લોકોને સલામત સ્થળે તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા છે.

વડોદરા શહેરમાં આવેલી આ આફતને પગલે PMO કાર્યાલય પણ આ સ્થિતી અંગે સતત સંપર્કમાં છે. તેની મદદથી વડોદરામાં વરસાદી સ્થિતિમાં બચાવ રાહત કામો માટે NDRFની પાંચ વધારે ટીમ પૂનાથી એર લિફ્ટ કરીને પહોંચડવામાં આવી રહી છે. અત્યારે વડોદરામાં NDRFની 4 ટીમ વડોદરામાં તંત્રના મદદ કાર્યો માટે તૈનાત છે.આ ઉપરાંત આર્મીની-૨ તેમજ S.R.P.ની-2 કંપની તેમજ પોલીસ અને સુરત-વડોદરાની ફાયર ટીમ પણ બચાવ રાહત કામોમાં લાગી છે.

વડોદરા જિલ્લા કલેકટરે વડોદરા શહેરમાં બચાવ અને રાહત કામગીરને વધુ અસરકારક બનાવવા NDRFની વધુ ફાળવવા માટે માંગની આર્મીની પણ માંગ કરવામાં આવી છે. જેથી વડોદરા પર આવેલા જળ સંકટને પહોંચી શકાય.

જોકે, વરસાદી પાણી સાથે રહેણાંક વિસ્તારમાં મગરના જોખમ ટાળવા વન વીભાગ અને પ્રાણી સુરક્ષા સંથાઓની મદદ લેવામાં આવી છે. અને અત્યાર સુધી 3 જેટલી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

Last Updated : Aug 1, 2019, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details