ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાંથી 2 નકલી ડોક્ટર્સની SOGએ કરી ધરપકડ

સુરેન્દ્રનગર: જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ SOGએ નકલી તબીબીનું સર્ટી ધરાવી પ્રેક્ટીસ કરતા ડોક્ટરોને ત્યાં તપાસ હાથ ધરી હતી. જ્યાથી એલોપેથીની દવાઓનો જથ્થો મળતા તેના વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

By

Published : Jul 9, 2019, 3:39 PM IST

સુરેન્દ્રનગરમાંથી મુન્નાભાઇ MBBS ઝડપાયા

જિલ્લામાં પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ SOGને મળેલી બાતમીને આધારે નકલી તબીબનુું સર્ટી ધરાવી ક્લીનીકમાં પ્રેકટીસ કરતા ડોક્ટરો અનુજ ખુદીરામ ધરામી અને ચુરીયા હુસૈન પુર જે ડોકટરોનું સર્ટી ધરાવતા ન હોવા છતા સામાન્ય લોકોમાં ડોક્ટર તરીકે જાહેર કરી ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરતા હતા.

જેને ત્યાં રેડ દરમિયાન એલોપેથીની દવાઓ આશરે 33,514ના મુદ્દામાલને ઝડપી જોરાવરનગર પોલીસ સ્ટેશને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details