ગુજરાત

gujarat

સુરતમાં આર્થિક સંકટના કારણે વેપારીનો આપઘાત

By

Published : Oct 23, 2019, 2:14 PM IST

સુરત: પૂંઠાના ગોડાઉનમાં વેપારીનો આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી.આર્થિક સંકળામણમાં આપઘાત કર્યો હોવાની શક્યતા પરિવારજનોએ જણાવી હતી.

પૂંઠાના ગોડાઉનમાં વેપારીનો આપઘાત

બમરોલી સુરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પૂંઠાના ગોડાઉનમાં ગળે ફાંસો ખાઈ વેપારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. ડિંડોલીમાં આવેલ અંબિકા નગર સોસાયટીમાં રહેતા 45 વર્ષીય આધેડ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા.તેઓએ ગોડાઉનના કારીગરોને રજા આપી દીધી હતી. ત્યારબાદ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details