ગુજરાત

gujarat

ETV Bharat / state

કડોદરા અને પલસાણામાં ફાયર સેફ્ટીની તપાસની શરૂ

સરતઃ શહેરમાં ફાયર સેફ્ટીના અભાવના કારણે 22 બાળકોના જીવ હોમાયા છે ત્યારે સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે. કડોદરા પાલિકાએ પણ લોકોની સુરક્ષાને ધ્યાનમાં 481 જેટલી મિલકતોને નોટીસ પાઠવીને ચોક્કસ કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીની કોઇ સુવિધા ન હોવાથી દીવા તળે અંધારા જેવી સ્થિતી ઉભી થઈ છે.

By

Published : May 30, 2019, 9:30 AM IST

કડોદરા અને પલસાણામાં ફાયરસેફ્ટીની તપાસની શરૂ

સુરતમાં થયેલી હોનારત બાદ સમગ્ર ગુજરાતમાં તપાસનો દોર શરૂ કરી દેવાયો છે. સુરત જિલ્લા કલેકટર દ્વારા પણ આ ગોઝારી ઘટના બાદ તાકીદે બેઠક બોલાવી જિલ્લામાં ફાયર સેફટી ન હોય તેવી મિલકતોની નોટિસ આપી પગલાં ભરવાનો આદેશ આપયો હતો. જેના પગલે કડોદરા નગર પાલિકા અને પલસાણા તાલુકા પંચાયત દ્વારા 481 જેટલી મિલકતોની નોટિસ પાઠવવામાં આવી છે. સાથે 70 જેટલી મિલકતોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 50 જેટલી મિલકતોમા ફાયર સેફટીના અભાવે નોટિસ પાઠવવામાં આવી છે. પરંતુ કડોદરા નગર પાલિકામાં જ ફાયર સેફટીના ઠેકાણાં નથી. માત્ર 3 કિલોના 7 ફાયર એસ્ટોડરના બાટલા મૂકીને તંત્ર ફાયર સેફ્ટીની મોટી મોટી વાતો કરી રહ્યું છે.

કડોદરા અને પલસાણામાં ફાયર સેફ્ટીની તપાસની શરૂ
કડોદરા નગરમાં હાઇરાઈઝ ઘણી એવી બિલ્ડીંગોમાં ફાયર સેફટીનો અભાવ છે .પલસાણા તાલુકા પંચાયત દ્વારા 3 દિવસમાં ટ્યુશન કલાસ, શૈક્ષણિક સંસ્થા , હોસ્પિટલો, હોટેલ, રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસ, કોમ્પ્લેક્ષ , મોલ તેમજ સિનેમા ઘરો મળી આઠ ગ્રામ પંચાયતની ટીમોએ 655 જેટલી મિલકતોનો સર્વે હાથ ધર્યો હતો. જે પૈકી 431 જેટલી મિલકતોને નોટીસ આપી ત્રણ દિવસમાં ફાયર સેફટીની સુવિધા લઈ એન.ઓ.સી મેળવી લેવા જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details