ગુજરાત

gujarat

સુરતમાં લોકો વહેલી સવારથી PUC કઢાવવા માટે...

By

Published : Sep 13, 2019, 12:05 PM IST

સુરતઃ રાજ્ય સરકારે પીયૂસી અને એચ.એસ.આર.પી. નંબર પ્લેટની મુદતમાં વધારો કર્યો છે. તેમ છતાં સુરત ખાતે લોકો વહેલી સવારથી PUC કાઢવા લાઇનમાં ઉભા રહ્યાં હતાં.

surat

હવે 30 સપ્ટેમ્બર સુધી પીયૂસીની અને 16 ઓક્ટોબર સુધી એચ.એસ.આર. પી.ની મુદ્દત વધારાઈ છે, 16 સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ પડતા હોવાથી રાજ્ય સરકારે જનતાને થોડો રાહતનો ટાઈમ આપ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ટ્રાફિક નિયમન સુધારા કાયદામાં રાજ્ય સરકારે દંડમાં વાહન ચાલકોને મહદ અંશે રાહત આપી છે. આગામી 16મી સપ્ટેમ્બરથી ગુજરાત સહિત સમગ્ર શહેરોમાં નવા નિયમ લાગુ કરી દેવામાં આવ્યા છે. ટ્રાફિકના નિયમનમાં પીયૂસી સર્ટિફિકેટ ન હોય તો, વાહન ચાલકોને પ્રથમ વખત સો રૂપિયા અને બીજી વખત પાંચસો રૂપિયા જેટલો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જેને લઈ વાહન ચાલકોએ પીયૂસી સર્ટિફિકેટ કઢાવવા માટે દોટ મૂકી હતી.

સુરતમાં લોકો વહેલી સવારથી PUC કઢાવવા માટે...
ટ્રાફિક નિયમન સુધારા કાયદાનો 16મી સપ્ટેમ્બરથી અમલીકરણ થાય તે પહેલાં જ વાહન ચાલકો દંડથી બચવા તૈયારીઓ કરી રહ્યા છે. જેમાં ખાસ પીયૂસી સર્ટિફિકેટ કઢાવવા વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. સુરતના માત્ર એક પીયૂસી સેન્ટર પર રોજ 300 જેટલા વાહન ચાલકો આવી રહ્યા છે. એક PUC સંચાલકના જણાવ્યાં અનુસાર સામાન્ય દિવસોમાં પ્રતિદિવસ 100થી 150 જેટલી ગાડીઓ આવતી હતી. પરંતુ સરકારના આ નિયમ બાદ પ્રતિદિવસ 250થી 300 જેટલી ગાડીઓ પીયૂસી સર્ટીફીકેટ કઢાવવા આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details