હવે 30 સપ્ટેમ્બર સુધી પીયૂસીની અને 16 ઓક્ટોબર સુધી એચ.એસ.આર. પી.ની મુદ્દત વધારાઈ છે, 16 સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ પડતા હોવાથી રાજ્ય સરકારે જનતાને થોડો રાહતનો ટાઈમ આપ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ટ્રાફિક નિયમન સુધારા કાયદામાં રાજ્ય સરકારે દંડમાં વાહન ચાલકોને મહદ અંશે રાહત આપી છે. આગામી 16મી સપ્ટેમ્બરથી ગુજરાત સહિત સમગ્ર શહેરોમાં નવા નિયમ લાગુ કરી દેવામાં આવ્યા છે. ટ્રાફિકના નિયમનમાં પીયૂસી સર્ટિફિકેટ ન હોય તો, વાહન ચાલકોને પ્રથમ વખત સો રૂપિયા અને બીજી વખત પાંચસો રૂપિયા જેટલો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જેને લઈ વાહન ચાલકોએ પીયૂસી સર્ટિફિકેટ કઢાવવા માટે દોટ મૂકી હતી.