ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 2 લાખથી વધુ કેરીની લૂંટ સાથે ચોકીદારની હત્યા કરી આરોપી ફરાર

સુરત: પલસાણા તાલુકાના માખિંગા ગામે આંબાવાડીના ચોકીદારની હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. અજાણીયા હત્યારાઓએ ચોકીદારની હત્યા બાદ આંબા પરથી ઉતારેલી બે લાખથી વધુની કેરીનું લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.

By

Published : May 22, 2019, 9:57 AM IST

કેરીની લૂંટ સાથે ચોકીદારની હત્યા કરી આરોપી ફરાર

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના માખિંગા ગામ એ આંબાવળી આવેલ છે. જ્યાં ગત રોજ બે ઈસમોને ચોકીદારી માટે રાખવામાં આવ્યા હતા. મધ રાત્રે બાઈક પર આવેલા બે ઈસમો એ એક ઈસમને જમવાના બહાને લઇ ગયા હતા, અને બાદમાં એ ઈસમને ત્યાં મૂકી બંને બાઈક સવાર ત્યાંથી ફરાર થઇ ગયા હતા . જે બાદ આ અજાણ્યા શખ્યોએ આંબાવાડીમાંથી કેરીની લૂંટ કરી ફરારા થઇ ગયા હતા.

કેરીની લૂંટ સાથે ચોકીદારની હત્યા કરી આરોપી ફરાર

જ્યારે વાડીનો માલીક વાડીમાં પહોંચ્યા ત્યારે સમગેર ઘટના સામે આવી હતી. આંબા પર થી ૨૪૦ કેરેટ જેટલી કેરી લઇ શખ્સો ફરાર થયા હતા.જ્યારે માલીકે ચોકીદારની તપાસ કરી તો તે ઘટનાસ્થળે હાજર ન હતો.જેથી આસપાસના ખેતરમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે ચોકીદારનો મૃતદેહ શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો. આ સમગેર ઘટનાની જાણ તાત્કાલિક પલસાણા પોલીસને કરવામાં આવી હતી. હત્યા બાબાતની જાણ થતાની સાથે જ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ શરૂ કરી હતી.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસ એ મૃતદેહ જોતા મૃતક સુરેન્દ્રને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઘા કરી હત્યા કરવામાં આવી હતી. બે લાખ થી વધુ કેરીની લૂંટ કરી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. જેથી પોલીસે લૂંટનો ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details