ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત સિવિલ હોસ્પિટલની સફળતા, શ્રમિકની પાંચ વર્ષની દીકરીને મળ્યું જીવન દાન

સુરત:શહેરના પારલે પોઇન્ટ વિસ્તારમાં આવેલા બંગલા નજીક બાંધકામની સાઈટ પર કામ કરી રહેલા શ્રમિકની પાંચ વર્ષની દીકરી દાદર ઉતરી રહી હતી. જે દરમિયાન દાદર પરથી નીચે પટકાતા 8 થી 9 ફૂટ સુધીનો સળીઓ બાળકીના પેટને ચીરી આરપાર થઈ ગયો હતો. જો કે, બાળકીને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં તબીબોની ટીમ દ્વારા સફળતાપૂર્વક સર્જરી કરી બાળકીને નવજીવન આપવામાં આવ્યું.

By

Published : Jun 22, 2019, 7:43 PM IST

ggg

કહેવત છે કે, તબીબ ભગવાનનું બીજું રૂપ ગણાય છે, ત્યારે આ કહેવત સુરત સિવિલ હોસ્પિટલના તબીબો આજે સાર્થક કરી બતાવી છે.સુરતના પારલે પોઇન્ટ વિસ્તારમાં આવેલા જોલી બંગલો નજીક બાંધકામની સાઈટ ચાલી રહી હતી. તે સાઈટ પર કામ કરતા સુરજ રાઉત નામના શ્રમિકની પાંચ વર્ષની દીકરી પણ હાજર હતી. પાંચ વર્ષની માસુમ શર્મિલા રાઉત બાંધકામની સાઈટના દાદર પરથી નીચે ઉતરી રહી હતી, જે દરમિયાન તે દાદર પરથી નીચે પટકાતા તેણીના શરીરના પેટની આરપાર 8 થી 9 ફૂટ સુધીનો સળીઓ ગરકાવ થઈ ગયો હતો. આ ઘટના બનતા ત્યાં હાજર લોકોઈ સૌ પ્રથમ તો 108ને જાણ કરતાં 108ની ટીમ પણ ત્યાં તાત્કાલિક દોડી આવી હતી. જો કે બાળકીના પેટની જમણી બાજુથી આરપાર થયેલા સળિયાની લંબાઈ વધુ હોવાથી તેને તુરંત જ કટર મશીનથી કાપવામાં આવ્યો હતો. છતાં બાળકીના પેટની આરપાર 4 ફૂટ સુધીનો સળિયો ફસાયેલો હોય તેથી તાત્કાલિક સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

સુરતમાં શ્રમિકની પાંચ વર્ષની દીકરીને મળ્યું જીવન દાન,

હોસ્પિટલના તબીબો પણ બાળકીની આટલી સહનશીલતાને જોઈ આશ્ચયમાં પડી ગયા હતા. જ્યાં બાળકીને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડીને સાત તબીબોની ટીમ દ્વારા અડધો કલાકની જહેમત બાદ બાળકીનું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. સળીયો આશરે 1 સેમી પોહળો હતો. જેમાં બાળકીના પેટની અંદર અન્ય અવયવોને નુકસાન નહીં થાય તે પ્રમાણે તબીબોની ટીમ દ્વારા સિફળતાપૂર્વક સાડા ત્રણ થી ચાર ફૂટના સળિયાને બહાર કાઢી નવજીવન આપવામાં આવ્યું હતું. જો કે તેના લીવર, કિડની કે આતરડાને કોઈ ઇજા થઇ નથી અને ઓપરેશન દરમિયાન ડોકટરો સળિયો ખેંચીને કાઢ્યો હતો તો ડૉક્ટર પણ આને ચમત્કાર માની રહ્યા છે.

બાળકીની હાલત જોઈ પરિવારના પગ તળેથી જમીન સરકી પડી હતી. જો કે આ પરિવાર માટે સુરત સિવિલ હોસ્પિટલના તબીબો ભગવાન સમાન સાબિત થયા છે તો બાળકીને નવજીવન મળ્યું છે. તબીબોના આ કામને સુરત સિવિલ હોસ્પિટલના અન્ય સ્ટાફ સહિત પરિવારે પણ બિરદાવ્યું હતું. હાલ બાળકીની હાલત સુધારા પર છે તો પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો છે. દક્ષિણ ગુજરાતની એકમાત્ર સુરત સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી રહે છે પરંતુ તેની સાથે આ હોસ્પિટલમાં આવા કિસ્સાઓ પણ બને છે જ્યાં તબીબો દર્દીઓ માટે ભગવાન સમાન સાબિત થાય છે. જે વાતમાં કોઈ બેમત નથી.

ABOUT THE AUTHOR

...view details