ગુજરાત

gujarat

ETV Bharat / state

શિક્ષકો દ્વારા કોરોના વેકિસનને લઇને જન જાગૃતિ અભિયાન શરૂ કરાયું

સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અલગ-અલગ ભાષાઓમાં કોરોના વેક્સિનને લઇને જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.

By

Published : Apr 1, 2021, 5:21 PM IST

શિક્ષકો દ્વારા કોરોના વેકિસનેશનને લઇને જન જાગૃતિ અભિયાન શરૂ કરાયું
શિક્ષકો દ્વારા કોરોના વેકિસનેશનને લઇને જન જાગૃતિ અભિયાન શરૂ કરાયું

  • શિક્ષકો દ્વારા વેકિસનેશન જન જાગૃતિ અભિયાન શરૂ કરાયું
  • વેક્સિનેશનને લઇ અન્ય ભાષાઓમાં કરવામાં આવી રહ્યો છે પ્રચાર
  • કોરોનાના વધતા કેસને અટકાવવા તૈયારીઓ તંત્ર

સુરતઃ શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખી એક તરફ કેસને નિયંત્રણ કરવા માટે અને બીજી બાજુ વેક્સિનેસનને લઇ તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પણ કન્ટેન્મેન્ટ વિસ્તારમાં જઈ જાહેરાત કરી લોકોને વેક્સિન માટે લઇ જન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. સુરતમાં અનેક પ્રાંતથી આવેલા લોકો રહે છે. આ જ કારણ છે કે, અનેક ભાષાઓમાં શિક્ષકો દ્વારા જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.

શિક્ષકો દ્વારા કોરોના વેકિસનેશનને લઇને જન જાગૃતિ અભિયાન શરૂ કરાયું

વેક્સિનેશનને લઇ જન જાગૃતિ અભિયાન શરૂ

સુરતને મીની ભારત કહેવામાં આવે છે. અહીં અનેક પ્રાંતથી આવેલા લોકો વસે છે. રોજીરોટી માટે આવેલા લોકો તેમની ભાષામાં વેક્સિનેશનને લઇ વધુ માહિતી મેળવી શકે આ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા તેમની જ ભાષામાં વેક્સિનેશનને લઇ જન જાગૃતિ અભિયાન ચલાવાઈ રહ્યા છે. મરાઠી, ઉડીયા, અને હિન્દી ભાષા સહિત અન્ય ભાષાઓમાં જે તે વિસ્તારમાં જઈ વેક્સિનેશનને લઇ જન જાગૃતિ આપવામાં આવી રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ શાળાના શિક્ષકો માઈક અને સ્પીકર થકી લોકોને જાગૃત કરી રહ્યા છે.

આપણ વાંચોઃ સુરતમાં સામાજિક સંસ્થા દ્વારા વેક્સિન કેમ્પ યોજાયો

વેક્સિનેશન માટે પ્રચાર-પ્રસાર

સુરત મહાનગરપાલિકા દ્વારા ટાર્ગેટ મૂકવામાં આવ્યા છે કે, દરરોજ આશરે 13 હજાર જેટલા લોકો વેક્સિનેશન માટે પ્રચાર-પ્રસાર પણ તેજ કરી દેવામાં આવ્યા છે. લોકો સુધી વેક્સિનેશનને લઇ તમામ વિગતો પહોંચી રહે આ માટે પાલિકા દ્વારા નગર પ્રાથમિક શાળાના શિક્ષકોનો સહારો લેવામાં આવ્યો છે. સુરતના લિંબાયત, ઉધના, પાંડેસરા વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં મરાઠી સમાજના લોકો રહે છે. ત્યાં મરાઠી માધ્યમના શિક્ષકો મરાઠીમાં વેક્સિનેશનને લઈ લોકોને જાગૃત કરવા પ્રચાર કરી રહ્યા છે આવી જ રીતે હિન્દી મીડીયમના શિક્ષકો વેક્સિનેશનને લઇ તમામ જાણકારી આપી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details