ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાઃ વડાલી શાકમાર્કેટને સેનેટાઇઝ કરાઈ, તમામ લોકોનું ચેકિંગ હાથ ધરાયું

સાબરકાંઠાના વડાલીમાં આવેલી શાકમાર્કેટમાં વહેલી સવારે 5 કલાકે શાકભાજીની હરાજી વખતે શાકમાર્કેટમાં શાકભાજી વેચવા આવેલા 300થી વધુ ખેડૂતો અને વેપારીઓનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થર્મલ ગન દ્વારા સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું. તેમજ ખરીદ-વેચાણ બાદ શાકમાર્કેટનું સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું.

By

Published : Apr 24, 2020, 5:17 PM IST

વડાલી શાકમાર્કેટને સેનિટાઇઝેશન કરાયું
વડાલી શાકમાર્કેટને સેનિટાઇઝેશન કરાયું

સાબરકાંઠાઃ સાબરકાંઠાના વડાલીમાં આવેલી શાકમાર્કેટમાં વહેલી સવારે 5 કલાકે શાકભાજીની હરાજી વખતે શાકમાર્કેટમાં શાકભાજી વેચવા આવેલા 300થી વધુ ખેડૂતો અને વેપારીઓનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થર્મલ ગન દ્વારા સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું. તેમજ ખરીદ-વેચાણ બાદ શાકમાર્કેટનું સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું.

તમામનું લોકોનું ચેકિંગ હાથ ધરાયું

કોરોના મહામારીનો ચેપ માનવથી માનવમાં ફેલાતો હોવાથી સરકાર દ્રારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આ લોકડાઉનમાં ખેડૂતોને પોતાના પાકનુ અને શાકભાજીનુ વેચાણ કરવા માટે શાકમાર્કેટ અને APMC માર્કેટને શરતોને આધીન મંજૂરી મળી છે. જેમાં સામાજિક અંતર જાળવવુ તેમજ ભીડ-ભાડ ના થાય તેવી સ્વચ્છતા જાળવવાની શરતો સાથે છૂટ આપવામાં આવી છે.

કોરોનાની મહામારી જિલ્લામાં ના ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે વડાલી શાકમાર્કેટમાં આવતા તમામ ખેડૂતો અને વેપારીઓનુ સોશ્યિલ ડિસ્ટન્સીંગ જાળવી થર્મલ ઘન દ્રારા સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું. આ સાથે વડાલીના શાકમાર્કેટમાં સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું.

જોકે કોરોના વાઇરસ અંતર્ગત આગામી સમયમાં સામાજિક અંતર જાળવ ખૂબ જ અગત્યનું છે, ત્યારે આગામી સમયમાં આ બાબતે ખાસ તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details