ગુજરાત

gujarat

ETV Bharat / state

કલમ 370 રદ થતા રાજકોટમાં શિવજીને અખંડ ભારતનો શણગાર કરાયો

રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ દેશના અભિન્ન અંગ ગણાતા જમ્મુ કાશ્મીરમાંથી 35-A અને કલમ-370ને દૂર કરવામાં આવી છે. જેથી દેશની જનતા ખૂબ જ ખુશ છે અને વિવિધ રીતે તેની ઊજવણી કરી રહી છે.

By

Published : Aug 13, 2019, 9:18 AM IST

intact india

સાથે જ દેશભરમાં ઠેર ઠેર લોકો દ્વારા કેન્દ્ર સરકારના આ નિર્ણયની પ્રશંસા કરવા આવી રહી છે. જેના ભાગ રૂપે રાજકોટમાં પણ રૈયા ચોકડી નજીક આવેલ ઓમકારેશ્વર મહાદેવના મંદિરમાં ભક્તો દ્વારા અખંડ ભારતનો શણગાર કરવામાં આવ્યો હતો. શિવજીને અદભુત શણગાર કરવામાં આવતા સ્થાનિકોમાં પણ શિવભક્તિ સાથે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. હાલ આ શિવલિંગ રાજકોટવાસીઓમાં આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું.

રાજકોટમાં શિવજીને અખંડ ભારતનો શણગાર કરાયો

ABOUT THE AUTHOR

...view details