હાલ લોકસભાની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું છે. ત્યારે રાજકીય પક્ષો દ્રારા પ્રચાર પ્રસાર શરૂ કરવામા આવ્યા છે. પરંતુ ધોરાજીના લલિત વસોયાભાજપને મત આપવા અનુરોધ કરતા હોય તેવા પોસ્ટરો લાગ્યા છે.
ધોરાજીમાં લલિત વસોયાના લાગ્યા પોસ્ટર.!
રાજકોટ: જિલ્લાના ધોરાજીમાં લલિત વસોયાના નામના પોસ્ટર લાગ્યા છે. જેમાં લલિત વસોયા ભાજપને મત આપવા અનુરોધ કરતા હોય તેવા પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે.
સ્પોટ ફોટો
આ અંગે લલિત વસોયાએ જણાવ્યું હતું કે,આ પોસ્ટર જોઇને હસવું આવે છે. આ ટીખળખોર તત્વો છે અને ટીખળખોરોને વિરોધ કેમ કરવો તે પણ આવડતું નથી.