ગુજરાત

gujarat

ETV Bharat / state

સોખડા ધામના સ્વામીએ શિવજી વિશે ટિપ્પણી કરતા દ્વારિકાના સંતની કડક કાર્યવાહીની માંગ

મેસેચ્યુસેટ્સના બોસ્ટન ખાતે આયોજિત સત્સંગ સભામાં ગુરૂહરિ પ્રાગટ્ય પર્વ કાર્યક્રમમાં પ્રબોધ સ્વામીના સન્માન, પ્રબોધ સ્વામી સમૂહના સાધુ આનંદ સાગર સ્વામીએ વક્તવ્ય આપ્યું હતું. જેમાં સનાતન ધર્મના દેવાધિદેવ મહાદેવ પર પોતાની કથા વાર્તા દરમિયાન ટીકા ટિપ્પણી કરતા વિશ્રામ દ્વારિકાના સંત સર્વેશ્વરાચાર્ય સહિતના લોકોએ પોરબંદર જિલ્લા અધિક કલકેટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જે વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. Vishram Dwarika Saint demands Strict Action, Comments about Lord Shivji, Sanatan Dharma Mahadeva Criticism

By

Published : Sep 7, 2022, 9:27 PM IST

સોખડા ધામના સ્વામીએ શિવજી વિશે ટિપ્પણી કરતા દ્વારિકાના સંતની કડક કાર્યવાહીની માંગ
સોખડા ધામના સ્વામીએ શિવજી વિશે ટિપ્પણી કરતા દ્વારિકાના સંતની કડક કાર્યવાહીની માંગ

પોરબંદરસોખડા ધામના સ્વામી (Sokhada Dham Swami) આનંદ સાગર સ્વામી તેમની કથા પ્રવચન દરમિયાન દેવાધીદેવ મહાદેવ પર અશોભનીય ટિપ્પણી (Sanatan Dharma Mahadeva Criticism) કરતા સનાતન ધર્મના સાધુ સંતોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગર સ્વામી જે પ્રકારે સનાતન ધર્મના દેવાધિદેવ મહાદેવ પર પોતાની કથા વાર્તા દરમિયાન જે ટિપ્પણી કરી છે. તેને ખૂબ ખેદ જનક માનવામાં આવે છે. આ બાબતે જગતગુરુ રામાનંદાચાર્ય આચાર્ય પીઠ શેષ મઢ શીંગડા વિશ્રામ દ્વારિકાના સંત સર્વેશ્વરાચાર્ય સહિતના લોકોએ પોરબંદર જિલ્લા અધિક કલકેટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. શિવજી વિશે ટિપ્પણીકરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ (Vishram Dwarika Saint demands Strict Action) કરી હતી.

સનાતન ધર્મના દેવાધિદેવ મહાદેવ પર પોતાની કથા વાર્તા દરમિયાન ટીકા ટિપ્પણી કરતા વિશ્રામ દ્વારિકાના સંત સર્વેશ્વરાચાર્ય સહિતના લોકોએ પોરબંદર જિલ્લા અધિક કલકેટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

પ્રબોધ સ્વામીનાં દર્શન મારા ભાગ્યમાં નથી યુ.એસ.માં આનંદ સાગર સ્વામીના સત્સંગના (Guruhari Pragatya Parva) ફૂટેજમાં દર્શાવવામાં આવ્યું છે કે નિશીત શંકર ભગવાનને પ્રબોધ સ્વામીની મુલાકાત લેવા માટે કહે છે. શંકર ભગવાને નિશીતને કહ્યું પ્રબોધ સ્વામીનાં દર્શન મારા ભાગ્યમાં નથી. આનંદ સાગર સ્વામીનો વ્યાપકપણે શેર કરેલો વિડીયો દાવો કરે છે કે પ્રબોધ સ્વામી શંકર ભગવાન કરતાં મોટા છે, જે સૂચવે છે કે સમગ્ર ગુજરાતમાં સનાતન ધર્મના અનુયાયીઓની ધાર્મિક સંવેદનાઓ દુભાઈ છે.

સનાતન ધર્મની માફી માંગે ભવનાથ તીર્થ ક્ષેત્રના (Bhavnath Tirtha Area) તમામ સાધુ સંતોએ આનંદ સાગર સ્વામી વિરોધ આકરી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. આ સાથે સાથે આનંદ સાગર સ્વામી સનાતન ધર્મની માફી માંગે (Demand to Apologize to Sanatan Dharma) તેવી માંગ પણ કરવામાં આવી છે. ભવનાથ તીર્થ ક્ષેત્રના સાધુ સંતો આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ સમગ્ર મામલાને લઈને મુલાકાતે જઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આનંદ સાગર સ્વામી સામે ગિરનારપરીક્ષા ક્ષેત્રના સાધુ સંતોમાં ખૂબ રોષ (Girnar Exam Field Saints Resentments ) જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details