આરોગ્ય કર્મચારીઓની ઘણા સમયથી પડતર પ્રશ્નોની માંગ કરી રહ્યા છે, પરંતુ હજુ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતા આજે રોષે ભરાઈ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવવાના હતા. કાશ્મીરમાં થયેલ આંતકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હોવાથી તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યાં હતાં. કર્મચારીઓ દ્વારા મીણબત્તી પ્રગટાવી જિલ્લા પંચાયત કચેરીમાં મૌન પાડી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
શહીદોને શ્રદ્ધાંજલિ: પોરબંદરમાં 350 હડતાલી કર્મીઓએ મૌન પાડ્યું
પોરબંદરઃ જિલ્લાના 350 આરોગ્ય કર્મચારીઓ છેલ્લા થોડા દિવસોથી પોતાની પડતર માંગને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે, પરંતુ 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલા થતા દેશના 40 જવાન શહીદ થયા. જેથી આરોગ્યકર્મીએ હડતાલ મોફૂક રાખી જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી, ત્યારબાદ તેઓએ હડતાલને આગળ વધારી છે.
porbander