આ ઘટનાથી અમેરિકામાં તાત્કાલિક કોઇ સુધારો આવ્યો ન હતો.પરંતુ લાંબા સમય બાદ અમેરિકામાં 8 કલાક કામને નિશ્ચિત કરી દેવામાં આવ્યું હતું અને ભારતમાં પણ આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. જ્યારે આ દિવસને વિશ્વ શ્રમિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ ભારતમાં જ અનેક મજૂરોની હાલત એવી દયનીય છે કે જોઈ ન શકાય તેવી છે.
આજે વિશ્વ શ્રમિક દિવસે શ્રમિકોની હાલત દયનિય ! - Gujarati News
પોરબંદરઃ આજે પહેલી મે એટલે વિશ્વ શ્રમિક દિવસ અથવા મજૂર દિવસ જેની પ્રારંભિક ઉજવણી 1 મે 1886થી કરવામાં આવે છે. ઇતિહાસ મુજબ અમેરિકામાં મજૂરોનો સમય 8 કલાકથી વધારે રાખવામાં આવતા મજૂરોએ જેનો વિરોધ કર્યો હતો. આ વિરોધના કારણે પોલીસે કામદારો પર ગોળીબાર કર્યો હતો જેમાં 1 કામદારો મોતને ભેટયા હતા.

સરકાર દ્વારા મજૂરો માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. પરંતુ મજૂરો અશિક્ષિત અને અસંગઠિત હોવાથી ઘણા શ્રમિક મજૂરો સુધી આ યોજનાઓ હજી સુધી પહોંચી શકતી નથી જે વાસ્તવિકતા છે.
પરંતુ અત્યાર સુધી સરકારી યોજનો કોઈ લાભ તેમને મળ્યો નથી.ત્યારે વાતાવરણ કંઇપણ હોય ધોમધખતો તાપ હોય કે અનરાધાર વરસાદ હોય કે પછી ખૂબ જ ઠંડી હોય કોઈપણ વાતાવરણમાં મજૂરી કરતા મજૂરોને આપની આસપાસ તો જોયા જ હશે.પરંતુ અનવરભાઈએ વિનંતી કરતા જણાવ્યું હતું કે શ્રમિકો માટે દરેકને મદદરૂપ થાય તેવી કોઈ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેવી અપીલ કરવામાં હતી
સમાજ સેવક પ્રતાપ લોઢારી એ જણાવ્યું હતું કે, ભારતમાં અનેક સમીકરણો એવા છે કે, જેઓને કાયદા મુજબનું વેતન પણ નથી મળતું અને આ બાબતમાં શ્રમિકો અશિક્ષિત અને અસંગઠિત હોવાથી કોઈ બાબતની જાણ તેઓને હોતી નથી. આથી શ્રમિકો સંગઠિત બને અને જો કાયદાકીય રીત મુજબના વેતન ના મળે તો યોગ્ય કાર્યવાહી કરવી અને શ્રમિકોને સંગઠિત બનવા જણાવ્યું હતું.