ગુજરાત

gujarat

By

Published : Jun 7, 2020, 3:02 PM IST

Updated : Jun 7, 2020, 6:04 PM IST

ETV Bharat / state

પોરબંદરમાં રાષ્ટ્રીય સ્મારક ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર 30 જૂન સુધી રહેશે બંધ

વિશ્વભરમાં કોરોના વાઈરસની મહામારી ફેલાઇ છે. ત્યારે ભારતમાં લોકડાઉનના પગલે તમામ પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. જ્યારે લાંબા સમય બાદ હવે 8 જૂને ધાર્મિક સ્થળો અને મંદિરો ખોલવાની કેન્દ્ર સરકારે છૂટ આપી છે. પરંતુ રાષ્ટ્રીય સ્મારકો ખોલવાની છૂટ આપી નથી. આથી ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર આગામી 30 જૂન સુધી બંધ રહેશે.

Kirti Mandir will remain closed till June 30
ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર

પોરબંદરઃ વિશ્વભરમાં કોરોના વાઈરસની મહામારી ફેલાઇ છે. ત્યારે ભારતમાં લોકડાઉનના પગલે તમામ પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. જ્યારે લાંબા સમય બાદ હવે 8 જૂને ધાર્મિક સ્થળો અને મંદિરો ખોલવાની કેન્દ્ર સરકારે છૂટ આપી છે. પરંતુ રાષ્ટ્રીય સ્મારકો ખોલવાની છૂટ આપી નથી. આથી ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર આગામી 30 જૂન સુધી બંધ રહેશે અને રાષ્ટ્રીય સ્મારક અંગેની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ તેથી મંદિરના ખોલવા અંગેની સૂચના મળતા જ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે.

પોરબંદરમાં રાષ્ટ્રીય સ્મારક ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર 30 જૂન સુધી રહેશે બંધ

પરંતુ અહીં આવતા લોકો માટે ખાસ મહામારી ન ફેલાય તે માટે તકેદારીના નિયમો જેમાં સોશિયલ ડિસ્ટન્ટ અને સેનીટાઇઝરનો ઉપયોગ અહીં આવતા તમામ લોકોએ કરવાનો રહેશે તેવી સૂચનાઓ પણ પ્રાપ્ત થઈ છે.

ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર 30 જૂન સુધી બંધ
પોરબંદરમાં આવેલા તમામ ધાર્મિક સ્થળોને ખોલવા અંગેની કોઇ હજુ કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી નથી. આવતા શ્રદ્ધાળુઓ અને મંદિરના ટ્રસ્ટીઓ નિયમો બહાર પાડે તેની રાહ જોઈને બેઠા છે, તો ઘણા ટ્રસ્ટીઓ દ્વારા રાજ્ય સરકારના અન્ય શહેરોમાં બહાર પાડેલા જાહેરનામાં મુજબ મહામારીના સમયે નિયમોનું ચુસ્ત પાલન લોકોને કેવી રીતે કરવું તેની વ્યવસ્થા અંગે અવઢવમાં છે.
રાષ્ટ્રીય સ્મારક કીર્તિ મંદિર 30 જૂન સુધી રહેશે બંધ
Last Updated : Jun 7, 2020, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details