ગુજરાત

gujarat

By

Published : Jul 19, 2020, 2:35 AM IST

ETV Bharat / state

પોરબંદરના બે આરોગ્ય કેન્દ્રોને મળ્યાં NQAS સર્ટિફિકેટ

પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગની યથકલગીમાં બે પીછાનો વધારો થયો છે. જેમાં ભાવસિંહજી હોસ્પિટલ તથા ગરેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાના ગુણવતા સભર આરોગ્ય કેન્દ્રના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે.

ભાવસિંહજી  હોસ્પિટલ
ભાવસિંહજી હોસ્પિટલ

પોરબંદરઃ શહેરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ તથા જિલ્લાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગરેજને રાષ્ટ્રીય કક્ષાના ગુણવતા સભર આરોગ્ય કેન્દ્રના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. દિલ્હીની NHSRC ટીમ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં સતત 3 દિવસ ભાવસિંહજી જનરલ હોસ્પિટલના 17 વિભાગોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. આ તમામ વિભાગોને રાષ્ટ્રીય કક્ષાના માપદંડો મુજબ 76 ટકા સાથે NQAS સર્ટિફિકેટથી પ્રમાણિત કરવામાં આવ્યા છે.

ગરેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ફેબ્રુઆરી 2020નાં રોજ રાષ્ટ્રીય કક્ષાનું ક્વોલીટી અંતર્ગત એસેસમેન્ટ NHSRS દિલ્હી દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમે કર્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગરેજ ઘેડ ખાતે અતિ દુર્ગમ વિસ્તારમાં આવ્યું છે. આ આરોગ્ય કેન્દ્રના ડૉ. નીખીલ બામણીયા દ્વારા જિલ્લા ક્વોલીટી ઓફિસર ડૉ. સંદીપ શર્માના માર્ગદર્શન હેઠળ રાત-દિવસ મહેનત કરીને નેશનલ લેવલનું એસેસમેન્ટ કરાવવા આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં તમામ 6 વિભાગોને રાષ્ટ્રીય કક્ષાના ગુણવત્તા સભર કેન્દ્રમાં 84 ટકા સાથે સામેલ કરાવ્યું છે.

આ સાથે ભાવસિંહજી જનરલ હોસ્પિટલની પણ રાષ્ટ્રીય કક્ષાના માપદંડ માટે રાજ્ય સરકાર દ્વારા પસંદ કરવામાં આવી હતી અને હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. ડી. એમ. ઠાકોરના સહકાર સાથે ડૉ. ધર્મેશ પારેખ અને તેમની ટીમે રાષ્ટ્રીય કક્ષાએથી આવેલી NQAS એસેસમેન્ટ માટે કામગીરી હાથ ધરી હતી. NHSRC દિલ્હીની ટીમ દ્વારા સતત 3 દિવસ સુધી હોસ્પિટલના 17 વિભાગોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. આ તમામ વિભાગોને રાષ્ટ્રીય કક્ષાનાં માપદંડો મુજબ 76 ટકા સાથે NQAS સર્ટીફીકેટ માટે પ્રમાણિત કરવામાં આવ્યું છે.

આ બન્ને આરોગ્ય કેન્દ્ર ગરેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ભાવસિંહજી જનરલ હોસ્પિટલને રાષ્ટ્રીય કક્ષાના ગુણવત્તા સભર આરોગ્ય કેન્દ્રોના પ્રમાણપત્ર મળવા બદલ રાજ્ય કક્ષાના સ્ટેટ ક્વોલીટી એસ્યોરન્સ મેડીકલ ઓફિસર ડૉ. કાર્તિક શાહ દ્વારા જિલ્લાના બન્ને ઓફિસરો ડૉ. સંદીપ શર્મા અને ડૉ. ધર્મેશ પારેખની નોંધપાત્ર કામગીરી બદલ તેમને બિરદાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details