આ રેત શિલ્પમાં દેશભરમાં જે મોદીની લહેર જોવા મળી છે તેનો સંદેશો દર્શાવામાં આવ્યો હતો. આ રેત શિલ્પને અનેક લોકોએ સરાહનીય ગણાવ્યું હતું અને જોત જોતામાં રેતશિલ્પ સોશિયલ મીડિયા પર વાઇરલ થયું હતું.
પોરબંદરના રેત શિલ્પીએ "વેવ્સ ઓફ મોદી "નું રેત ચિત્ર બનાવી પાઠવી શુભેચ્છા
પોરબંદર: 2019 લોકસભા ચૂંટણીના પરિણામમાં વડાપ્રધાન મોદીને ભવ્ય જીત મળી છે. ભાજપએ એકલા હાથે 303 બેઠકો મેળવી છે તો વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં NDAએ 353 બેઠકો મેળવી. ભાજપની આ ઐતિહાસિક જીત પર પોરબંદરના રેત શિલ્પકાર નથુભાઈએ પોરબંદરના અરબી સમુદ્રમાં લહેરો સાથે વડાપ્રધાન મોદીનું રેત શિલ્પ બનાવી PMને અનોખી શુભેચ્છા પાઠવી હતી.
"વેવ્સ ઓફ મોદી "નું રેત ચિત્
વધુમાં જણાવીએ કે, રેત શિલ્પ બનાવનાર નથુભાઈ ગરચરને અનેક એવોર્ડ મળી ચુક્યા છે. તેઓએ પોરબંદરના દરિયાકિનારે અનેકવાર અદભુત રેત શિલ્પ બનાવી લોકોના મન મોહી લાધી છે. આ કળામાં તેઓ માહિર બન્યા છે અને તેમની કળા અનેક લોકો સુધી પહોંચી છે.