ગુજરાત

gujarat

By

Published : Nov 13, 2019, 7:00 PM IST

Updated : Nov 13, 2019, 11:32 PM IST

ETV Bharat / state

વધુ એક હિન્દુનેતાને મળી ધમકી, જાણો કેમ?

પંચમહાલઃ ઉત્તર પ્રદેશના કમલેશ તિવારીની હત્યા બાદ તેમની નિકટના ગણાતા હિન્દુવાદી નેતા અને વિશ્વ સનાતન સંઘના રાષ્ટ્રીય પ્રચારક અને મહાસચિવ ઉપદેશ રાણાને છેલ્લા કેટલાક દિવસોથી મોબાઈલ પર જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. હાલમાં જ તેઓ પંચમહાલના શહેરા પાસેથી પસાર થઈ રહ્યા હતાં, ત્યારે તેમના મોબાઈલ ફોન પર એક નંબર પરથી કોઈ ઇસમે જાનથી મારી નાખવાની ધમકી આપતા તેઓ દ્રારા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. જ્યારે વીતેલા ૨૪ કલાકમાં આજ રીતે બીજી વખત મોબાઇલ પર ધમકી મળી હતી.

ઉપદેશ રાણા

ગુજરાતમા રહીને હિંન્દુત્વના પ્રચાર અને પ્રસારનુ કામ કરતા ઉપદેશ રાણા તેઓ સુરત ખાતેના પોતાના ઘરેથી દિલ્લી તરફ જઇ રહ્યા હતાં, ત્યારે પંચમહાલના શહેરા પાસેથી પોતાની કાર લઇને પસાર થઇ રહ્યા હતા તે સમયે તેમના મોબાઇલ ફોન ઉપર વિદેશી નંબર પરથી કોલ આવ્યો હતો. તેમાં કોઈ ઇસમ દ્રારા તમારાથી મે 10 મીનીટની દૂરી પર હું તુમ હિન્દુત્વકા ઝંડા લેકર ચલ રહા હે અબ હમ બતાયેગે કિતની ગોલી મારેગે! તુમારે શરીરમે છેદ કરેગે અબ તુમ્હારી ઉલટી ગિનતી ચાલુ હો ગઈ હે!" અને અપશબ્દો બોલીને ધમકી આપી હતી. જયારે ઉપદેશ રાણાએ હું આવી તારી ધમકીઓથી ડરવાનો નથી. તેમ જણાવ્યું હતું.

વધુ એક હિન્દુનેતાને મળી ધમકી

અવારનવાર આ રીતે તેમના મોબાઇલ પર ધમકી ભર્યા ફોન આવતા રહેતા હોવાથી તેમને આ કોલને પણ ગંભીરતાથી લીધો હતો અને તાત્કાલિક શહેરા પોલીસ મથક ખાતે પહોચી ગયા હતાં. પોલીસ મથકના PI એન. એમ.પ્રજાપતિને સમગ્ર હકીકત જણાવી હતી. આ મામલે પોલીસે ગંભીરતાથી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ઉપદેશ રાણાને વીતેલા 24 કલાકમા તેમના મોબાઇલ ઉપર આ રીતે બીજી વખત જાનથી મારી નાખવાની ધમકી અજાણ્યા ઇસમો દ્રારા આપવામા આવી હતી.

Last Updated : Nov 13, 2019, 11:32 PM IST

ABOUT THE AUTHOR

...view details