ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારે વરસાદથી મહારાષ્ટ્રનો રેલ વ્યવહાર ખોરવાયો, નવસારીમાં અટવાયા મુસાફરો

નવસારીઃ ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના પાલઘર નજીક રેલ્વે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. જેની અસરને લઇ નવસારી ,બીલીમોરા ખાતે મુસાફરો અટવાયા હતા. આથી બિલીમોરા રેલ્વે સ્ટેશન ખાતે સુરત વિરાર પેસેન્જર ,ગુજરાત એક્સપ્રેસ ,બિકાનેર એક્સપ્રેસ ,સુરત મેમુ ટ્રેન ,સૌરાષ્ટ્ર એક્સપ્રેસ જેવી ટ્રેનો લેટ ચાલી રહી છે. જેના કારણે નવસારી ,બીલીમોરા રેલ્વે સ્ટેશન ખાતે હજારો મુસાફરો અટવાયા હતા.

By

Published : Jul 1, 2019, 10:24 AM IST

ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાયો

દક્ષિણ ગુજરાત સહીત સમગ્ર ગુજરાત ભરમાં મેઘરાજા મન મૂકી વર્ષી રહ્યા છે. ત્યારે હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતમાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગતરાત્રીથી નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સતત વર્ષી રહેલ વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા.

ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાયો

જ્યારે ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના પાલઘર નજીક રેલ્વે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. જેની અસરને લઇ નવસારી ,બીલીમોરા ખાતે મુસાફરો અટવાયા હતા.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details