ગુજરાત

gujarat

ETV Bharat / state

ગરુડેશ્વર નર્મદા કેનાલમાંથી સગીરાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા હત્યાનો ગુનો નોંધાયો

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગાડકોઈ ગામની 17 વર્ષની સગીરાને ગળે ટૂંપો દઈ ઠંડે કલેજે હત્યા કર્યા બાદ માથાના વાળ સાથે તારથી મૃતદેહને બાંધી નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. ત્રણ દિવસ પહેલા ગુમ થયેલી દીકરીનો નર્મદા કેનાલ માંથી મૃતદેહ મળતા પરિવાર શોકાતુર બન્યો છે. ત્યારે પોલીસ હત્યારાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

By

Published : Jan 10, 2021, 1:13 PM IST

narmada
narmada

ગરુડેશ્વર તાલુકાના ગાડકોઈ ગામના આંબા ફળિયામાં રહેતા બચુ ભયજી તડવીની 17 વર્ષની સગીર વય દીકરી ગત 6 જાન્યુઆરીની સવારથી ઘરે સાંજ સુધી પરત ના આવી. એટલે પરિવારને ચીંતા થઇ અને શોધખોળ હાથ ધરી પોતાના દૂર-દૂરના સગા સંબંધી તમામના ઘરે શોધખોળ કરી પરંતુ શનિવારે નર્મદા કેનાલ ઉંડાવાથી સમશેરપુરા બ્રીજ પાસેથી આ સગીરાનો મૃતદેહ મળ્યો બહાર કાઢવામાં આવ્યો હતો.

ગળે ટૂંપો દઈ હત્યા કરવામાં આવી

ત્યારે આ સગીરાના મૃતદેહને વાળ સાથે તારથી મોટો પથ્થર બાંધી કેનાલમાં નાખવામાં આવ્યો હતો. અને પોલીસે મૃતદેહ બહાર કાઢી તેનો પોસ્ટમોર્ટમ કરવામાં આવતા ગળે ટૂંપો દઈ હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતુ. આ સાથે હત્યારાએ હત્યા કરીને પુરાવો નાશ કરવાની પણ કોશિશ કરી છે.

પોલીસે હત્યારાઓને પકડવા ચક્રોગતીમાન કર્યા

ત્યારે ગરુડેશ્વર PSI એ.એસ.વસાવા આ હત્યારાનું પગેરું શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં ડોગસ્કોડ મંગાવી કેનાલથી આ હત્યારાના પગેરું શોધવા ગરુડેશ્વર પોલીસ મથી રહી છે. હજુ કોઈ ચક્ક્સ દિશા પોલીસ ને મળી નથી કે તપાસ ક્યાંથી કરી શકાય ક્યાં મારી એ મોબાઈલ વાપરતી હતી કે કેમ છેલ્લો કોનો ફોન આવ્યો હતો ઘરમાં ઝઘડો થયો હતો કે કેમ સહિતની અનેક કડીઓ પોલીસ તપાસ કરી રહી છે. હાલ અજાણ્યા ઈસમ સામે હત્યા અને પુરાવો નાસ કરવાની ફરિયાદ નોંધી પોલીસ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details