ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં સેવાકીય સંસ્થાના દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીઃ નારાયણ સંસ્થા દ્વારા છેલ્લા 33 વર્ષથી દર્દી નારાયણની સેવાનું અનેરું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે સંસ્થાના દાતાઓના સહયોગથી અત્યાર સુધીમાં લાખો જરૂરિયાતમંદોને ઓપરેશન કરીને નવજીવન આપી ચૂકી છે. ત્યારે આ સંસ્થા સાથે જોડાયેલા ભામાશાઓનુું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

By

Published : Apr 29, 2019, 4:50 PM IST

મોરબીમાં સેવાકીય સંસ્થામાં યોગદાન આપનારા દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

નારાયણ સેવા સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કુલ 3.70 લાખ વિકલાંગોના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. સંસ્થા દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે. સેવાકીય પ્રવૃતિઓ દાતાઓના સહયોગથી ચાલે છે. જેમાં મોરબીના ઉદ્યોગપતિઓ સહિતનો સહકાર મળે છે. જેથી આજે સંસ્થાને છૂટા હાથે દાન આપી સેવાકીય કાર્યોને વેગ આપનારા મોરબીના 250થી વધુ ઉદ્યોગપતિને સન્માનિત કરવામાં આવ્યાં હતા.

મોરબીમાં સેવાકીય સંસ્થામાં યોગદાન આપનારા દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

ABOUT THE AUTHOR

...view details