ગુજરાત

gujarat

By

Published : Aug 29, 2019, 9:02 AM IST

ETV Bharat / state

મોરબીમાં આવેલા નિલકંઠ મહાદેવના કરો દર્શન

મોરબી: હિંદુ ધર્મમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે. મોરબીના પ્રાચીન નિલકંઠ મહાદેવ મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જામે છે.જ્યારે મંદિરનો 520મો પાટોત્સવ છે, ત્યારે આ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે. મોરબીના મધ્યમાં આવેલા નિલકંઠ મહાદેવનું મંદિર અતી પૌરાણિક અને પ્રાચીન છે. આ મંદિરને પહેલા શંકર આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મોરબીમાં આવેલા નિલકંઠ મહાદેવના કરો દર્શન

નિલકંઠ મહાદેવ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ભક્તોની ભીડ વધી જાય છે. નિલકંઠ મહાદેવના દર્શન માટે વર્ષોથી આવતા શ્રદ્ધાળુઓમાં અનેરી શ્રદ્ધા જોડાયેલી છે. આ મંદિર નજીક પક્ષીઓ માટે ચણ નાખવા માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરની બાજુમાં એક બગીચો વિકસાવવામાં આવ્યો છે. જેથી કુદરતી સૌંદર્ય સાથે ધાર્મિક વાતાવરણ ઉભું થઈ શકે.

મોરબીમાં આવેલા નિલકંઠ મહાદેવના કરો દર્શન

આમ, હિન્દુ માટે અતિ પવિત્ર એવા શ્રાવણ માસમાં શિવાલયો ભક્તોથી છલકાય છે, ત્યારે મોરબીના નિલકંઠ મહાદેવ મંદિરમાં 520મો પાટોત્સવ એક સંયોગ બન્યો છે.

ABOUT THE AUTHOR

...view details