ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં સાસરિયાઓના ત્રાસથી શિક્ષિકાએ જીવન ટુંકાવ્યું

મહેસાણાઃ શહેરની વિસનગર લિંક રોડ પર આવેલા અમનપાર્ક સોસાયટીમાં રહેતી અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહીલાએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલાના પિતાએ પુત્રીના સાસુ-સસરા અને પતિ સામે માનસિક ત્રાસ આપતા આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

By

Published : May 6, 2019, 11:13 AM IST

શિક્ષિકાએ ગળેફાંસો ખાધો!

મહેસાણામાં વિસનગર લિંક રોડ પર આવેલી અમનપાર્ક સોસાયટીમાં રહેતી નસીમ મન્સૂરીએ 8 વર્ષ પહેલા ઇમરાન સાથે લગ્ન કર્યા હતા. 8 વર્ષના લગ્નજીવન બાદ અચાનક નસીમ મન્સૂરીએ ઘરમાં કોઈ હાજર ન હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર પંખે લટકી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ છે. પરંતુ શિક્ષિકા મહિલાના અપમૃત્યુ બાદ મહેસાણા દોડી આવેલા મૃતકના પિતાએ સાસરિયાઓ દ્વારા દીકરીને માનસિક ત્રાસ અપાતો હોવાની અને 10 લાખ રૂપિયા માંગ્યાનો આક્ષેપ કર્યો છે.

મૃતક નશીમના પિતાએ તેમની દીકરીના અપમૃત્યુ માટે પતિ ઇમરાન અને સાસુ સસરાની દુસ્પ્રેરણાને જવાબદાર ઠેરાવી છે. ત્યારે પોલીસે મહિલાના શંકાસ્પદ અપમૃત્યુ કેસમાં મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસમોર્ટમ કરાવી ફરિયાદીની ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details