ગુજરાત

gujarat

ETV Bharat / state

શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ ઘટે તો શું થાય ? તમે જાણવા માંગો છો ?

આપણા શરીરમાં ઓક્સીજનનું સ્તર 94 અને 100ની વચ્ચે હોવું જોઈએ. 94 નીચે આવે તો સારવાર લેવાની જરૂર ઊભી થાય છે. આ વચ્ચે 75 નીચે હોવુ તો શરીરની ગંભીર સ્થિતિ દર્શાવે છે.

શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ ઘટે તો શું થાય ? તમે જાણવા માંગો છો ?
શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ ઘટે તો શું થાય ? તમે જાણવા માંગો છો ?

By

Published : Aug 6, 2020, 12:39 AM IST

મહીસાગર: કોરોનાના દર્દીને ખ્યાલ પણ ન આવે તે રીતે અચાનક તેના શરીરમાં ઓક્સીજનનું લેવલ નીચે આવી જાય છે. આવી સ્થિતિમાં દર્દી માટે અતિ જોખમી બને છે. આવી હાલતમાં દર્દીનું મૃત્યુ થવાની સંભાવના પણ રહેલી હોય છે. તબીબી ભાષામાં આ સ્થિતિને સાઇલેન્ટ હાઈપોક્સીઆ કહેવામાં આવે છે.

શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ ઘટે તો શું થાય ?

આપણા ફેફસા શરીરને ઓક્સીજન આપતું એક માત્ર માધ્યમ છે.

આપણે જાણીએ છીએ કે ફેફસા ઓક્સિજનને લઈને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. જ્યારે ફેફસામાં શ્વાસ લેવામાં તકલીફોને લીધે ઓક્સિજન ન લઈ શકે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર ન કાઢી શકે ત્યારે, હાયપોક્સીઆ પણ હાઇપરકેમ્પનીઆ નામની સ્થિતિ સર્જે છે. જ્યારે શ્વાસ ન લઇ શકાય ત્યારે, કાર્બન ડાયોક્સાઇડ બહાર ન નીકળી શકવાના કારણે લોહીના પ્રવાહમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું અસંતુલન ઊભું થાય તેને હાઈપરકેમ્પનીઆ કહેવાય છે, આવી સ્થિતિ નિવારવા પલ્સ ઓક્સીમીટર મદદગાર બને છે. તો ચાલો, આજે વાત કરીએ પલ્સ ઓક્સિમીટર વિષે. આ નાનકડી ડિવાઇસ ખરેખર આટલી બધી ઉપયોગી છે? શા માટે જરૂરી છે?

ઓક્સીમીટરની જરૂર કોને ? અને શા માટે ?


આપણા શરીરમાં ઓક્સિજનનું સ્તર 94 અને 100ની વચ્ચે હોવું જોઈએ. જો આ સ્તર 94ની નીચે આવે તો સારવાર લેવાની જરૂર ઊભી થાય છે. તેમજ 75થી ઓછું હોય તો શરીરની સ્થિતિ ગંભીર હોવાનું દર્શાવે છે. હાલના કોવિડ પોઝીટીવ દર્દીઓમાં ઓક્સિજનનું સ્તર ઓછું હોય ત્યારે તેમને કોઈ લક્ષણો જોવા મળતા નથી. એટલે જ આ સ્થિતિમાં ઓક્સીમીટર આશીર્વાદરૂપ બને છે અને સહેલાઇથી ઓક્સિજન ચેક કરી સમયસર સારવાર લેવામાં મદદરૂપ બને છે. કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિને કોરોના વાઇરસનું ઈન્ફેકશન થાય ત્યારે તેનું ઓક્સિજન લેવલ ઘટીને 94 નીચે જઇ રહ્યું હોય તો તેને તકેદારી રાખી તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

શું છે સાઇલેન્ટ હાયપોક્સીઆ ?

હાયપોક્સીઆ એ એવી સ્થિતિ છે જેમાં શરીરના કોષો અને માસપેશીઓ પર્યાપ્ત ઓક્સિજન સપ્લાયથી વંચિત રહે છે. સાદી ભાષામાં કહીએ તો લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ હોવું એ હાયપોક્સીઆ કહેવાય. સામાન્ય રીતે તે આખા શરીર અથવા શરીરના કોઈ ભાગને અસર કરે છે. શરીરમાં બ્લડ સર્કયુલેશન નોર્મલ હોવા છતાં પણ આ સ્થિતિ સર્જાઈ શકે છે. હાલ મૃત્યુ પામતા મોટા ભાગના દર્દીઓમાં તેની અસર જોવા મળી છે. જેમ જેમ હાયપોક્સીઆની અસર વધે છે તેમ તેમ દર્દી શરીર પરનો કાબુ, માનસિક ચેતના અને હલનચલન ગુમાવી બેસે છે. સાઇલેન્ટ હાયપોક્સીઆ દર્દીના મગજ, લીવર અને અન્ય અવયવોને ગણતરીની મિનિટોમાં ભારે નુકસાન પહોંચાડે છે.

જ્યારે સામાન્ય વ્યક્તિમાં ઓક્સિજન નિયત પ્રમાણ કરતાં નીચે જાય ત્યારે ચક્કર, થાક, ખેંચ, તીવ્ર શ્વાસોચ્છશ્વાસ પરસેવો થવો, મોમાં પાણી આવવું જેવા લક્ષણો વર્તાય છે, પરંતુ ચિંતાજનક એ છે કે મહતમ કોરોના સંક્રમિત વ્યક્તિમાં આ લક્ષણો જોવા મળતા નથી. જેથી સમયસર સારવાર મેળવવામાં મુશ્કેલી પડે છે. આવા સમયમાં ઓકસીમીટર ખૂબ ઉપયોગી બની રહે છે.

શરીરમાં ઓક્સિજનનો અભાવ કોરોના દર્દીઓ માટે ઘાતક બને છે. ઓક્સિજન લેવલ નીચે જવું એટલે કે હાયપોક્સીઆની સ્થિતિમાં સમયસર હોસ્પિટલ પહોંચી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવવાની સારવાર મેળવી અગત્યની હોય છે. ઓક્સીમીટર દ્વારા અવારનવાર શરીરમાં ઓક્સીજનનું લેવલ ચેક કરવામાં આવે અને જો લેવલ નીચું હોય તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચવામાં આવે તો મૃત્યુના મુખમાં જતાં બચી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details