ગુજરાત

gujarat

મહીસાગર જિલ્લામાં બે ગમખ્વાર અકસ્માત, 2ના મોત અને 20 ઇજાગ્રસ્ત

By

Published : Jun 22, 2019, 10:08 PM IST

મહીસાગરઃ જિલ્લામાં બે સ્થળે થયેલા રોડ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 20 જેટલા મુસાફરો ઘાયલ થયેલ છે. ઇજાગ્રસ્તને સંતરામપુરની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસાડયા છે. જ્યારે વધુ ઘાયલોને ગોધરા અર્થે સારવાર માટે ખસેડાયા છે.

dhfh

મહીસાગર જિલ્લામાં બે રોડ અકસ્માત થયા છે. જેમાં સંતરામપુર નજીક સંતરામપુર ગોધરા હાઇવે પર ઉંબર ટેકરા પાસે ટ્રક અને મીની ટ્રાવેલ્સ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયુ છે જ્યારે અન્ય 20 મુસાફરોને ગંભીર ઇજા પહોંચી છે. તો ઇજાગ્રસ્તોને સારવાર માટે સંતરામપુર જનરલ હોસ્પિટલમાં ખસાડાયા છે. જ્યારે બે મુસાફરોની હાલત અતિ ગંભીર વધુ સારવાર માટે ગોધરા ખસેડાયા છે. તો અન્ય એક અકસ્માત બાલાસિનોર વીરપુર રોડ પર જોરાપુરા પાસે ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયુ છે જેમાં ડમ્પર ચાલકે એક્ટિવા ને અડફેટે લેતા ડમ્પરનું વ્હીલ ચઢી જતાં એક યુવતીનું મોત થયું છે અને બે યુવતીનો આબાદ બચાવ થયો હતો.

મહીસાગર જિલ્લામાં બે જુદા જુદા રોડ અકસ્માત સર્જયા

ABOUT THE AUTHOR

...view details