ગુજરાત

gujarat

ETV Bharat / state

એશિયાના સૌથી મોટા ગિરનાર પર્વત પર રોપ-વેનું કામ બન્યું ઝડપી

જૂનાગઢ: ગિરનારમાં બની રહેલા એશિયાના સૌથી મોટા રોપ-વેનું કામ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ભવનાથ તળેટી નજીક રોપ-વેના પ્રથમ ફિલ્ડનું કામ આજથી શરૂ કરવામાં આવ્યું છે. જે આગામી કેટલાક મહિનાઓમાં પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે.

By

Published : Dec 8, 2019, 2:50 PM IST

રોપ વે ના કામમાં ગતિ
રોપ વે ના કામમાં ગતિ

ગિરનાર રોપ-વેના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયા બાદ હવે જેને મહત્વનું માનવામાં આવે છે અને સમગ્ર રોપ-વેનો આધાર જેના પર છે તે કામ આજથી શરૂ થયું છે. ભવનાથ તળેટી વિસ્તારમાં જ્યાંથી રોપ-વે ની શરૂઆત થાય છે, ત્યાં રોપ-વે ને ટ્રોલીને લઈ જવા માટેના પ્રથમ પીલ્લરનું કામ આજથી શરૂ કરવામાં આવ્યું છે. આવા 8 કરતાં વધુ પિલર ભવનાથ તળેટીથી શરૂ કરીને અંબાજી મંદિર સુધી બનાવવામાં આવશે. જેના પર રોજ તેની ટ્રોલી ઉપરથી નીચે અને નીચેથી ઉપરની તરફ આવન-જાવન કરશે.

રોપ વે ના કામમાં ગતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગિરનાર રોપ-વે ને લઈને ખૂબ જ આશા હતી. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે બંધ પડેલા ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને ફરીથી શરૂ કર્યો હતો અને તેમના જ કાર્યકાળમાં આ કામ હવે શરૂ કરવામાં આવ્યું છે. આગામી કેટલાક મહિનાઓમાં રોપ-વે નું કામ સંપૂર્ણ થશે, ત્યારે તેવું માની શકાય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એશિયાના સૌથી મોટા રોપ-વે ને લોકોને સમર્પિત કરવા જૂનાગઢ ખાતે આવી શકે છે. આ કામ આજથી શરૂ થયું છે. આ રોપ વે માર્ચ કે એપ્રિલ મહિના સુધીમાં પૂર્ણ થઈ જશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details