જૂનાગઢ: માંગરોળના શીલ ગામે અંતિમવિધીને લઇ વિવાદ થયો
જૂનાગઢ: જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે અનુસૂચિત જાતિ સમાજના મસરી સેજા વાઘેલાની અંતિમ વિધિ માટે શીલ સ્મશાન ખાતે વિવાદ ર્સજાયો હતો.
માંગરોળના શીલ ગામે અંતિમવિધીને લઇ થયો વિવાદ
અગાવની જમીન બાબતનું રાગદ્રેશ રાખી અંતિમયાત્રાને રોકવામાં આવી હતી. તેમજ જ્ઞાતિ પ્રત્યે હડદૂત કરી અપમાન કર્યું હતું. અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા શીલ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ ગયા બાદ પોલિસ બંદોબસ્ત સાથે મૃતકની અંતિમવિધી કરવામાં આવી હતી. 6 કલાક સુધી મૃતદેહને સ્મશાનની બહાર રાખવામાં આવ્યું હતું અને પોલીસને સાથે રાખી અંતિમ વિધિ કરવામાં આવી હતી.