ગુજરાત

gujarat

ETV Bharat / state

ચોકીદારની તકેદારી, ચોરી કરવા આવેલા ચોરોને ભગાડ્યા

જામનગરઃ જિલ્લાના હાપા નજીક આવેલા જય દ્વારકાધીશ મોટર્સ બજાજના શો રૂમમાં રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ ચાર જેટલા ચોર શોરૂમમાં ચોરી કરવાના ઇરાદે ઘુસ્યા હતા અને ચોરીને અંજામ આપે તે પહેલા શોરૂમમાં ચોકીદાર રતનસિંહ વાઘેલા જાગી જતા તેઓ ચોરોને ભગાવવામા સફળ રહ્યા હતા.

By

Published : Apr 14, 2019, 6:07 AM IST

jmr

પરંતુ આ ઘટનામાં ચોરી કરવા આવેલા ચાર જેટલા ઈસમોએ રતનસિંહ પર હુમલો કરતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને હાલ તેમની રાજકોટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બનાવના પગલે એસપી સહિતનો પોલીસ ટીમનો કાફલો શો રૂમ ખાતે દોડી આવ્યો હતો અને CCTV ફૂટેજ ચેક કરી અને અન્ય વિવિધ પાસાઓનો અભ્યાસ કરતા વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

ABOUT THE AUTHOR

...view details