ગુજરાત

gujarat

By

Published : Oct 15, 2019, 4:11 PM IST

ETV Bharat / state

જામનગરમાં 20 વર્ષ બાદ શ્રી શ્રી રવિશંકર ધનલક્ષ્મી પૂજામાં હાજરી આપશે

જામનગરઃ શહેરમાં ધનલક્ષ્મી મહાપૂજનનું મોટાપાયે આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે આર્ટ ઓફ લિવિંગ NGOના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરને આંમત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમની માહિતી આપવા માટે આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કાર્યક્રમની રુપરેખા વિશે ચર્ચા કરવામાં આવી હતી.

શ્રી શ્રી રવિશંકર ધનલક્ષ્મી પૂજામાં હાજરી આપશે

શહેરમાં ધનલક્ષ્મી મહાપૂજનની તડામાર તૈયારી ચાલી રહી છે. કાર્યક્રમને ખાસ બનાવવા માટે આર્ટ ઓફ લિવિંગ NGOના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરને ખાસ આંમત્રણ આપવામાં આવ્યું છે.

શ્રી શ્રી રવિશંકર ધનલક્ષ્મી પૂજામાં હાજરી આપશે

આગામી 25 તારીખે આ કાર્યક્રમ અંતર્ગત શ્રી શ્રી રવિશંકર 20 વર્ષ બાદ જામનગરની મુલાકાત લેશે અને શહેરની પ્રણાલી સ્કૂલના ગ્રાઉન્ડમાં 25 હજારથી વધુ લોકોને સંબોધન કરશે, ત્યારબાદ તેઓ જામગનરના આર્ટ ઓફ લિવિંગની મુલાકાત લેશે. આમ, 20 વર્ષ બાદ શ્રી શ્રી રવિશંકરની આવવાની ખબરથી સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details