ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના વાલ્કેશ્વરી વિસ્તારમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં

જામનગરમાં વાલ્કેશ્વરી વિસ્તારની ઝાડીઓમાં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ફાયર ફાઇટરને જાણ કરતા ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.

By

Published : Jun 1, 2020, 2:46 PM IST

jamnagar
વાઘેશ્વરીમાં બાવળિયામાં લાગી આગ

જામનગર : શહેરના વાલ્કેશ્વરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં હોસ્પિટલો આવેલી છે. ત્યારે અહીં ઝાડીઓમાં અચાનક આગ લાગતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે, આગ બેકાબૂ બને તે પહેલાં જ ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

જામનગર : વાઘેશ્વરીમાં બાવળિયામાં લાગી આગ, કોઈ જાનહાની નહિ
આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. એક ફાયર ફાઇટરની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details