ગુજરાત

gujarat

ETV Bharat / state

નિરાકરણ નહીં આવતા કરાર આધારિત મંડળ 9 ડિસેમ્બરે કોંગ્રેસ સાથે વિધાનસભાનો ઘેરાવ કરશે

ગાંધીનગર: સર્વ શિક્ષા અભિયાન કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓ પગાર વધારા સહિતની માગણીઓને લઈને સરકારમાં અનેક વખત રજૂઆતો અનેક વખત રજૂઆતો કરી હતી. પરંતુ સરકારના બહેરા કાને વાત પડતી ન હતી. 5 ડિસેમ્બરના રોજ ત્રણ હજાર જેટલા કર્મચારીઓએ કચેરીનો ઘેરાવ કર્યો હતો. તેમ છતાં તેમનું નિરાકરણ નહીં આવતાં આખરે કોંગ્રેસ દ્વારા બિન સચિવાલય પરીક્ષા રદ કરવાના મેળાને લઇને 9 ડિસેમ્બરે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ ડિસેમ્બર વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપ્યો છે.

By

Published : Dec 6, 2019, 11:44 PM IST

etv bharat
નિરાકરણ નહીં આવતાં આવતાં કરાર આધારિત મંડળ 9મીએ કોંગ્રેસ સાથે વિધાનસભા ઘેરાવ કરશે

સર્વ શિક્ષા અભિયાનના અભિયાનના કરાર આધારિત કર્મચારીઓ પણ જોડાશે. શહેરના સેક્ટર 17માં આવેલી સર્વ શિક્ષા અભિયાનની કચેરી ખાતે 5 ડિસેમ્બરના રોજ તમામ કર્મચારીઓ પોતાના પગાર વધારાની માંગ સાથે એકઠા થયા હતા. કચેરી દ્વારા વાહલા નીતિ અપનાવવામાં આવતી હોય તે રીતે આઈડી વિભાગના કર્મચારીઓને પગાર વધારો કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય કર્મચારીઓને પગાર વધારો કરવામાં આવ્યો નથી. તેમની વર્ષોની માગણી માંગણીઓને પણ નજરઅંદાજ કરવામાં આવી રહી છે.

નિરાકરણ નહીં આવતાં આવતાં કરાર આધારિત મંડળ 9મીએ કોંગ્રેસ સાથે વિધાનસભા ઘેરાવ કરશે
યોગ્ય રજૂઆતો કરવા છતાં અધિકારીઓ દ્વારા વારંવાર ઉદ્ધતાઈ પરિવર્તન કરવામાં આવે છે. જેને લઇને હવે કરાર આધારિત કર્મચારી મંડળ લડી લેવાના મૂડમાં છે. છેલ્લા ત્રણ દિવસથી સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પાસે ચાલી રહેલા બિન સચિવાલય પરીક્ષા રદ કરવાના આંદોલનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિધાનસભા વિપક્ષના નેતા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કરાર આધારિત કર્મચારી મંડળના પ્રમુખ અમિત કવિ દ્વારા પરીક્ષા રદ કરવાના આંદોલનને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે 9 ડિસેમ્બર સોમવારના રોજ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા વિધાનસભા ઘેરાવમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.
નિરાકરણ નહીં આવતાં આવતાં કરાર આધારિત મંડળ 9મીએ કોંગ્રેસ સાથે વિધાનસભા ઘેરાવ કરશે

કરાર આધારિત કર્મચારી મંડળના પ્રમુખ અમિત કવિએ કહ્યું કે સરકારમાં અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ કોઇ નિરાકરણ આવતું નથી. અમારી માંગણી છે કે, રાજ્યમાં કરાર શબ્દ જ ન હોવું જોઈએ કોન્ટ્રાક્ટ પ્રથાને નાબુદ કરવા માટે લડત આપી રહ્યા છીએ. પરંતુ સરકાર અમારી એક વાત સાંભળતી નથી. આજના આંદોલનને અમારા મંડળ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે વિધાનસભા સત્રના પહેલા દિવસે મનના તમામ કર્મચારીઓ વિધાનસભા ઘેરાવમાં જોડાશે.

ABOUT THE AUTHOR

...view details