ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગના પશુપાલકો માટે રોગ નિયંત્રણ અને કૃત્રિમ સંવર્ધન અંગે કાર્યશાળા યોજાઇ

ડાંગઃ જિલ્લાનું પ્રવેશદ્વાર વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ડાંગના પશુપાલકો માટે રોગનું નિયંત્રણ અને કૃત્રિમ સંવર્ધન વિશે કાર્યશાળા તાલીમ યોજાઈ હતી. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ સંકેતભાઈ બંગાળ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ર્ડા.જી.જી.ચૌહાણની ઉપસ્થિતિમાં રહ્યાં હતા.

By

Published : Sep 13, 2019, 6:42 PM IST

વઘઈ ખાતે રાષ્ટ્રિય પશુ રોગ નિયંત્રણનુ આયોજન

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે રાષ્ટ્રિય પશુ રોગ નિયંત્રણ, રાષ્ટ્રિય કૃત્રિમ બીજદાન કાર્યક્રમ તેમજ ભારતના વડાપ્રધાન મોદીના હસ્તે મથુરાથી કાર્યક્રમનું લાઈવ વેબકાસ્ટિંગ દર્શાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ પશુપાલક મિત્રો સાથે સીધો સંવાદ કરી કેવી રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો, પશુઓમાં રસીકરણ અને કૃત્રિમ બીજદાન કેવી રીતે વાધે, દેશમાં દુધ ઉત્પાદનમાં 7 ટકા વૃદ્ઘિ અને આવકમાં 13 ટકા વધારો અને 13 હજાર કરોડ રૂપિયા પશુપાલન માટે ફાળવ્યાં હતા.

ર્ડા.મનીષભાઈ પટેલે ખરવા-મોવાસા રોગની લાક્ષણિકતાઓ અને તેના ઉપાયો, ર્ડા. સાગર પટેલે બૃસેલોસિસ લાક્ષણિકતાઓ અને તેના ઉપાયો, ર્ડા.સંજયભાઈ ગાવિતે પશુઓમાં રસીકરણની જરૂરિયાત અને સમજ તથા ર્ડા.ધર્મેશ ચૌધરીએ કૃત્રિમ બીજદાન અને ડાંગ જિલ્લામાં પશુપાલન સબંધિત યોજનાઓની જાણકારી આપી હતી.

કાર્યશાળામાં ર્ડા.જીગ્નેશ ડોબરિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈની ટીમ સહિત 140થી વધારે પશુપાલક ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહી રાષ્ટ્રિય પશુ રોગ નિયંત્રણ, રાષ્ટ્રિય કૃત્રિમ બીજદાન, સ્વચ્છતાએ જ સેવા તેમજ પશુઓમાં રસીકરણ કરવા કટીબંધ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details